નવી દિલ્હી: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ 24 એપ્રિલના રોજ રાજીનામાં આપ્યા. રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી. ત્યારબાદ તમામ સીધા ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું.
નીતિન નબીને મોં મીઠું કરાવી સ્વાગત કર્યું
ભાજપ હેડક્વાર્ટરમાં નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ચઢ્ઢાએ ભાજપ અધ્યક્ષને ગુલદસ્તો ભેટ કર્યો. આ સત્તાવાર મિલનની સાથે રાઘવ ચઢ્ઢા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા. પાર્ટી કાર્યકર્તાઓમાં આ રાજકીય ઘટનાક્રમમાં જશ્નનો માહોલ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ હવે રાજ્યસભામાં નબળી થઈ ગઈ છે.
કયા કયા નેતાઓએ રાજીનામાં આપ્યા?
રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીમાંથી 7 સાંસદોએ રાજીનામાં આપ્યા છે. જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહની સામેલ છે.








રાઘવ ચઢ્ઢાએ પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની પણ જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે. તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’

ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે પોલીસે ‘થ્રી-લેયર’ સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. જી.એસ. મલિકે વિગતો આપતા જણાવ્યું કે, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં શહેરના 27 વોર્ડની મતગણતરી થશે, જ્યારે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડના મતો ગણવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સેન્ટ્રલ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસની ટુકડીઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. જે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સજ્જ છે.




