અન્નુ કપૂર સ્વર્ગસ્થ ઓમ પુરી પર કેમ ભડકયા?

3

અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં સ્વર્ગસ્થ ઓમ પુરીના અભિનયની પ્રશંસા કરી હતી, અને તેમના વિશે કઠોર ટિપ્પણીઓ પણ કરી હતી.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અન્નુ કપૂરે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી સાથેના તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે ઓમ પુરીને એક અદ્ભુત અભિનેતા તરીકે પ્રશંસા કરી, પરંતુ તેમણે તેમના પર તેમની બહેનનું જીવન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો.

ઓમ પુરીએ અન્નુ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા

અન્નુ કપૂરની બહેન સીમા કપૂરના લગ્ન ઓમ પુરી સાથે થયા હતા, પરંતુ થોડા મહિનામાં જ આ સંબંધનો અંત આવ્યો. સીમાને ખબર પડી કે ઓમ પુરીએ તેની સાથે છેતરપિંડી કરી છે. જોકે, ઓમ પુરી જીવનના અંતિમ તબક્કામાં હતા ત્યારે બંને ફરી જોડાયા.

તેણે મારી બહેન સાથે દગો કર્યો

અન્નુ કપૂરે કહ્યું,”ઓમ પુરી એક તેજસ્વી અભિનેતા હતા. તેમનાથી મોટો કોઈ અભિનેતા નહોતો, પણ એ વાત અલગ છે. તે કોઈનો પતિ બન્યો, અને પછી તેણે એક સ્ત્રી સાથે દગો કર્યો. ત્યાં જ બધું ખોટું થયું, અને હું તે સ્ત્રીનો ભાઈ છું.”

તેમણે આગળ કહ્યું,”તેણે 10 વર્ષ પહેલાં જવું જોઈતું હતું, પરંતુ મારી બહેને તેની સંભાળ રાખી. જ્યારે તેનું શરીર નબળું અને નાજુક થઈ ગયું ત્યારે તે પાછો ફર્યો. હું મારી બહેનથી ગુસ્સે અને દુઃખી પણ હતો.”

મારી બહેનનું જીવન બરબાદ થઈ ગયું

અન્નુ કપૂરે કહ્યું કે તેમણે હવે ભૂતકાળને પાછળ છોડી દીધો છે. “આજે, ઓમ પુરી સાહેબ હયાત નથી, પણ તેમનો પુત્ર છે. હું હજુ પણ તેમના પુત્ર અને તેમની ભૂતપૂર્વ પત્ની નંદિતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.મારે કોઈ સાથે દુશ્મની નથી, પરંતુ મને દુઃખ છે કે મારી બહેન સીમા કપૂરનું જીવન બરબાદ થઈ ગયું, અને તેમને કોઈનો સહારો નથી.”

તેમણે ઉમેર્યુ કે,”જો હું તે બાબતો વિશે વાત કરવાનું શરૂ કરીશ, તો તે પરિસ્થિતિને વધુ ખરાબ કરશે કારણ કે મારામાંનો ભાઈ બહાર આવશે. ઓમ પુરી મારાથી ડરતા પણ હતા કારણ કે હું સ્પષ્ટપણે બોલું છું. મને ડર નથી. હું લાચાર હતો, હું કંઈ કરી શકતો ન હતો.” અભિનેતા ઓમ પુરીનું 2017 માં અવસાન થયું.