કેન્સર નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિમાં ડર જોવા મળે છે. વિશ્વમાં કેન્સર એ એક ગંભીર આરોગ્ય ચિંતાનો વિષય છે. આ રોગના વધતા કેસ અને એની જટિલતાના કારણે લોકોમાં એનો ભય છે. જો કે ઘણા કેન્સર એવા પણ હોય છે,
જેમાં દર્દી પુનઃ સ્વસ્થ જીવન જીવી શકે છે. પરંતુ એના માટે કેન્સર પ્રત્યેની જાગૃતિ જરૂરી છે. માટે જ 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પ્રમાણે 2021માં કેન્સરથી અંદાજે 90 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. આ રોગ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે કેન્સરના કેસોમાં 77 ટકાનો વધારો થવાની સંભાવના છે.આ પરિસ્થિતીને ધ્યામાં રાખીને લોકોમાં કેન્સરની જાણકારી અને જાગૃતિ લાવવી અત્યંત મહત્વપૂર્ણ છે.
ત્યારે જાણીએ વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ, કેન્સરના લક્ષણો, આ ખતરનાક રોગથી બચવાના ઉપાયો અને અન્ય ઘણું બધુ.

વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ
વિશ્વ આરોગ્ય સંસ્થાની પહેલ પર 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં, પેરિસમાં કેન્સર સામે વિશ્વ સમિટમાં આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ 2000માં વિશ્વ કેન્સર સંઘ (UICC) દ્વારા 4 ફેબ્રુઆરીએ વિશિષ્ટ રીતે વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. દર વર્ષે કેન્સર ડે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2025-2027ની થીમ ‘યુનિક દ્વારા યુનાઇટેડ’ , એટલે કે લોકોની સંભાળના કેન્દ્રમાં અને એમની વાતને વાતચીતના કેન્દ્રમાં રાખે છે. દર વર્ષે આ રોગ લાખો લોકોને ભોગ બનાવે છે. આવી સ્થિતિમાં એના લક્ષણોને સમયસર ઓળખીને જીવ બચાવી શકાય છે.
કેન્સરના પ્રકાર

કેન્સરના પ્રકારની વાત કરીએ તો એ કોઈ એક ચોક્કસ પ્રકારનો રોગ નથી. કેન્સરમાં પણ જુદા-જુદા અનેક પ્રકાર છે. એટલું જ નહીં દરેક પ્રકારના સ્નાયુઓના કોષોની અનિયંત્રિત રીતે વૃદ્ધિથી થાય છે. વધારે જોવા મળતા હોય એવા કેન્સરમાં સ્તન કેન્સર, લંગ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લિમ્ફોમા, સ્કિન કેન્સર, બ્રેઈન કેન્સર, કિડની કેન્સર, બ્લેન્ડર (મૂત્રાશય)નું કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર આ ઉપરાંત પણ મેલાનોમા, ઓવરિયન, એસ્કોફેઘીયલ, લારિંજિયલ અને ઓરલ કેન્સર જેવા બીજા પ્રકારના કેન્સર પણ છે, જે આરોગ્ય માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે.
મહિલાઓમાં આ કેન્સર વધારે જોવા મળે છે
બ્રેસ્ટ કેન્સરઃ શહેરી મહિલાઓમાં આ કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ગ્રામીણ મહિલાઓમાં આ બીજું સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. આજકાલ નાની ઉંમરમાં જ બ્રેસ્ટ કેન્સરના કિસ્સાઓ સામે આવવા લાગ્યાં છે. આ બ્રેસ્ટમાં અસામાન્ય રૂપથી કોશિકાઓના ફેરફાર અને વૃદ્ધિ થવાથી થાય છે, તેમજ કોશિકાઓ મળીને ટ્યૂમર બનાવે છે. લક્ષણોની વાત કરીએ તો દૂધ જેવો પદાર્થ અથવા લોહી આવવું, બ્રેસ્ટની સ્કિન પર નારંગી રંગના સ્પોટ દેખાવા. કોઈ ગાંઠ, આકારમાં ફેરફાર.
ગર્ભાશયનું કેન્સરઃ આ કેન્સરને સર્વાઇકલ કેન્સર પણ કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર સર્વાઇકલ રિસર્ચ મુજબ સર્વાઇકલ કેન્સરથી ભારતમાં દર વર્ષે લગભગ 50 હજારથી વધારે મહિલાઓનું મૃત્યુ થાય છે. આ હ્યૂમન પેપિલોમા નામના વાયરસથી થાય છે, જે યૌન સંબંધથી ફેલાય છે. આ કેન્સર ગર્ભાશય ગ્રીવાથી શરૂ થાય છે, જે ગર્ભાશયનો સૌથી નીચેનો ભાગ હોય છે. અહીંથી આ કેન્સર ધીમે-ધીમે શરીરના અન્ય ભાગમાં ફેલાય છે. લક્ષણોમાં રજોનિવૃતિ પછી બ્લીડિંગ થવું, સામાન્ય કરતા વધુ બ્લીડિંગ થવું, અસામાન્ય ડિસ્ચાર્જ ચેતવણીના સંકેત છે.

કોલોરેક્ટલ કેન્સરઃ મહિલાઓમાં આ ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. આ મોટા આંતરડાને પ્રભાવિત કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં તેની શરૂઆત કોશિકાઓના નોન કેન્સરસ ટ્યૂમરના રૂપમાં થાય છે, જેને નજરઅંદાજ કરવામાં આવે તો આ કેન્સર બની શકે છે. આ કેન્સરના લક્ષણની વાત કરીએ તો ડાયરિયા અથવા કબજિયાત સહિત પેટ સંબંધિત પરેશાની, 4 વીક કરતા વધુ સમય સુધી મળમાં ફેરફાર, મળદ્વારથી લોહી આવવું, પેટમાં દુઃખાવો રહેવો, વજન ઘટવું અને નબળાઇ તથા થાક લાગવો.
ઓવેરિયન કેન્સરઃ ઓવેરિયન કેન્સર 30થી 65 વર્ષની ઉંમરની મહિલાઓમાં વધુ જોવા મળે છે. જેમના પરિવારમાં પેટ, ઓવેરિયન, બ્રેસ્ટ અથવા ગર્ભાશયના કેન્સરનો કોઈ ઇતિહાસ રહ્યો છે તેમને આ કેન્સરનો જોખમ વધી જાય છે. લક્ષણની વાત કરીએ તો પેલ્વિક અથવા પેટના નીચેના ભાગમાં દુઃખાવો, અપચો, વારંવાર યૂરિન આવવું, ભૂખ ન લાગવી, પેટમાં સોજા આવવા અથવા પેટ ફૂલવું.
યોનિ અને વલ્વર કેન્સરઃ માત્ર મહિલાઓમાં થતું આ દુર્લભ કેન્સર છે. જે યોનિ અને વલ્વા (બાહ્ય અંગો) પર અસર કરે છે. મુખ્ય કારણની વાત કરીએ તો HPV સંક્રમણ અને લાંબા ગાળાના સ્કિન ઇન્ફેક્શન હોઈ શકે.
| બાળકોમાં જોવા મળે છે આ કેન્સર
ભારતમાં દર વર્ષે લગભગ 60 હજાર બાળકોને કેન્સર થાય છે. જે દેશમાં વયસ્ક કેન્સર દર્દીઓની સંખ્યાના અંદાજે પાંચ ટકા જેટલું છે, જ્યારે વિકસિત દેશોમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ એકથી બે ટકા છે. જો યોગ્ય સમય પર નિદાન અને સારી સારવાર મળે તો બાળકોમાં થતા કેન્સરના 80 ટકા કેસો સંપૂર્ણ રીતે મટાડવામાં આવે છે. બ્લડ કેન્સર એ બાળકોમાં સૌથી સામાન્ય કેન્સર છે. તેમાં મુખ્ય પ્રકારે અક્યૂટ લિમ્ફોસાયટ્સ લ્યુકેમિયા (ALL) અને અક્યૂટ લિમ્ફોઇડ લ્યુકેમિયા છે. લિમ્ફોસાયટ્સ લ્યુકેમિયાની 90 ટકા સુધીની સારવાર શક્ય છે, જ્યારે લિમ્ફોઇડ લ્યુકેમિયા આ દર 40થી 50 ટકા સુધીનો છે. રેટિનોબ્લાસ્ટોમાં કેન્સર આંખમાં થાય છે અને એ નવજાત શિશુમાં એક મહિનાની ઉંમરે શરૂ થાય છે. ધીમે ધીમે કેન્સર આંખોને ખરાબ કરીને મગજ સુધી પહોંચે છે. તત્કાલ નિદાન કરીને આંખોને બચાવી શકાય છે. શરૂઆતના લક્ષણોને કેટ આઈ રિફ્લેક્સ કહેવામા આવે છે, જેમાં શિશુની આંખ અંધારામાં સફેદ દેખાય છે. બાળકોના મગજમાં ટ્યુમર પણ થઈ શકે છે. અથવા મગજના અલગ અલગ પ્રકારના કેન્સર પણ થઈ શકે છે. ન્યૂરોબ્લાસ્ટોમા એડ્રીનલ ગ્લેન્ડમાં થતું એક પ્રકારનું ટ્યુમર છે. ઓસ્ટિયોસરકોમા અને ઈવિંગ્સ સરકોમા હાડકામાં થતું કેન્સર છે. આ ઉપરાંતવિલ્મ્સ ટ્યુમર નામનું કેન્સર બાળકોની કિડનીમાં થાય છે. જો કે સમયસર ઉપચારથી આ કેન્સરનું નિદાન થઈ શકે છે. |
પુરુષોમાં થતા મુખ્ય કેન્સર
પ્રોસ્ટેટ કેન્સરઃ પુરુષોમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર છે. આ પ્રોસ્ટેટ નામના અંગમાં થતું કેન્સર છે. પ્રોસ્ટેટ એ એક નાની ગ્રંથિ છે જે પુરુષોના શરીરમાં સ્થિત છે. શુક્રાણુ આ ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રોસ્ટેટમાં કેન્સરને કારણે, આ અંગ યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને તે ખૂબ જ ગંભીર સ્થિતિ બની જાય છે. લક્ષણની વાત કરીએ તો પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો, વારંવાર પેશાબ કરવો અને રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે, પેશાબમાં લોહી, પેશાબ કરતી વખતે સંપૂર્ણપણે પેશાબ પસાર કરવામાં અસમર્થતા, અચાનક પેશાબને નિયંત્રિત કરવામાં અસમર્થતા.
ફેફસા(લંગ) કેન્સરઃ લોકો આ કેન્સરને ટીબી સાથે પણ જોડી દે છે, કારણ કે દર્દીને ઉધરસની વધુ ફરિયાદ રહે છે. ફેફસાંનું કેન્સર એ દુનિયામાં જોવા મળતાં કેન્સરમાં મોખરે છે. બહારના દેશોમાં કેન્સરથી થતા મૃત્યુનું સૌથી મોટું કારણ ફેફસાંનુ કેન્સર છે. આ કેન્સરના લક્ષણોમાં લાંબા સમયની ખાંસી જે મટે નહીં અને વધતી જાય, છાતીમાં દુખાવો, ગળફામાં લોહી આવવું, શ્વાસમાં તકલીફ થવી, અવાજમાં ફેરફાર થવો,ભૂખ ન લાગવી, થાક લાગવો, વજન ઘટતું જોવા મળે છે.

લિમ્ફોમાં કેન્સરઃ એ લિમ્ફેટિક સિસ્ટમમાં થતું કેન્સર છે, જે લિમ્ફ નોડ્સ (લિમ્ફ ગ્રંથિ) અને લિમ્ફોસાઇટ્સ (લિમ્ફ લોહીના કોષો) પર અસર કરે છે. લિમ્ફ સિસ્ટમ એ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય છે અને શરીરમાંથી વિકારોને દૂર કરવામાં મદદ કરે છે. લિમ્ફોમા બે પ્રકારના હોય છે, એક હોજકિન લિમ્ફોમા અને બીજુ છે નોન હોજકિન લિમ્ફોમા. લિમ્ફોમાના લક્ષણની વાત કરીએ તો લસિકાગ્રંથિની ગાંઠો મુખ્ય લક્ષણ છે. જેમાં ગરદન, બગલ અથવા પેઢાની આજુબાજુમાં ગાંઠો થવી. આ ઉપરાંત ઉધરસ આવવી, હાંફ ચઢવી, તાવ આવવો, રાત્રે ખૂબ પરસેવો વળવો, પેટમાં દુખાવો થવો, થાક લાગવો, વજનમાં ઘટાડો થવો, ખંજવાળ આવવી. જો કે, આમાંનાં ઘણાં લક્ષણો અન્ય બીમારીઓની ચેતવણીનાં ચિહ્નનો પણ હોઈ શકે છે. લિમ્ફોમા છે કે નહીં એની ખાતરી કરવા કેન્સરના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
હોઠ, જડબા અને મોંનું કેન્સરઃ હોઠ અને જડબાનું કેન્સર 90 ટકા તમાકુનું સેવન કરનારા લોકોમાં જોવા મળે છે. આ કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ (કોઈ પણ સ્વરૂપમાં) અને દારૂ છે. આ કેન્સર મોંની અંદર ગાલ, જીભ, જીભની નીચે, તાળવું જેવી અલગ અલગ જગ્યાએ થઈ શકે છે. અહીં અલ્સર અથવા ફોલ્લો બને છે અને તે દવાઓ લીધા પછી પણ ઠીક થતો નથી. જો જીભ કપાઈ ગઈ હોય અથવા મોઢાનો કોઈ ભાગ દાંતથી કપાઈ જાય અને દવા લીધા પછી પણ તે ત્રણ અઠવાડિયાં સુધી ઠીક ન થાય તો તે ચિંતાનું કારણ બની જાય છે. ક્યારેક દાંત ઢીલા થઈને તૂટી જાય તો ત્યાં ઘાવ થઈ શકે છે. મોંમાં કોઈ ગ્રોથ જોવા મળે તો એ જરૂરી નથી કે તે કૅન્સર જ હોય, પરંતુ તેની તપાસ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત, જો ઘણી વખત મોં ખોલવામાં તકલીફ થતી હોય તો તે પણ આ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
હેતલ રાવ



ખાંડવવનમાં વસતો હતો ત્યારે અગ્નિ દેવે તેમની ભૂખ સમાવવા વન ખાવા માંડ્યુ, ભસ્મ કરવા માંડ્યુ ત્યારે અર્જુને મય દાનવ અને તેના પરિવારની રક્ષા કરી. ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું ત્યારે તે પરાજિત થયો. ભગવાન શ્રીકૃષ્ણએ તેને અભય વરદાન આપ્યું અને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. મય દાનવે ભવ્ય ચમત્કારી મહેલ બાંધી આપ્યો જે બાંધવા મયને 14 મહિના થયા. મહેલની રક્ષા માટે લગભગ 8000 અસૂરોની સેના પણ આપી. ઉપરાંત અર્જુનને દેવદત્ત નામે શંખ અને ભીમસેનને વૃષપર્વા રાજાના સમયની નામાંકિત ગદા ભેટ આપ્યા. મયાસૂરે નિર્માણ કરેલો વિશાળ અને સુંદર એવો બેજોડ મહેલ મયસભા તરીકે વિખ્યાત થયો.


કેન્દ્રીય બજેટ 2025 વપરાશ-આધારિત વૃદ્ધિને પ્રાથમિકતા આપે છે. વ્યાજ દરમાં ઘટાડાથી મૂડી ખર્ચમાં ઘટાડો થશે અને આર્થિક વિસ્તરણ અને રોજગારમાં વધારો થશે. આ બધાથી અનિશ્ચિત વૈશ્વિક ક્રમમાં આર્થિક અને બજાર ભાવનાઓમાં સુધારો થવો જોઈએ અને રોકાણકારોનો વિશ્વાસ વધવો જોઈએ. ટૂંકા ગાળાની બજાર અસ્થિરતા હોવા છતાં, મજબૂત મૂળભૂત બાબતો ભારતને લાંબા ગાળાના રોકાણકારો માટે આશાસ્પદ તક બનાવે છે.
“નાણામંત્રીએ મધ્યમ વર્ગની વાત સાંભળી છે અને આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરીને નોંધપાત્ર નાણાકીય રાહત આપી છે. જેનાથી માત્ર સ્થાનિક માંગમાં જ વધારો નહીં થાય પરંતુ રોકાણમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે. આ સાથે જ બજેટમાં રાજકોષીય ખાધ GDPના 4.4% પર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે રાજકોષીય સમજદારી દર્શાવે છે. વીમામાં FDI મર્યાદા 100% સુધી વધારવાથી ગ્લોબલ પ્લેયર્સ આકર્ષિત થશે. જેનાથી વધુ સ્પર્ધા, વધુ સારી પ્રોડક્ટ અને નાગરિકો માટે નાણાકીય સુરક્ષામાં સુધારો થશે. બજેટમાં પર્યટનને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ, મુસાફરી અને કનેક્ટિવિટીમાં સુધારો અને ચોક્કસ જૂથો માટે વિઝા-ફી માફી સાથે સુવ્યવસ્થિત ઇ-વિઝા સુવિધાઓ રજૂ કરવથી સ્થાનિક પર્યટનના વિકાસમાં સારા સંકેત મળે છે.”
કેન્દ્રિય બજેટ 2025 ગિફ્ટ સિટી આઈ.એફ.એસ.સી.ને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેની સરકારની કટીબદ્ધતાને મજબૂતાઇથીદર્શાવે છે. સૂચિત કરવેરામાં પ્રોત્સાહનો અને નિયમનકારી સરળતાઓ વૈશ્વિક રોકાણકારો, ફંડ મેનેજર્સ અને વ્યવસાયોને આકર્ષશે, જેનાથી ભારતની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. આ પગલાંથીગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે સ્પર્ધાત્મક અને વ્યવસાયો માટેના અનુકૂળસ્થળ બનવા માટે સજ્જ છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં ભારતનાવિકાસને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
“આ બજેટ લાંબા ગાળા માટે અનેક ફાયદાઓ આપી શકે છે. કર માળખાને સરળ બનાવીને, બોજ ઘટાડીને અને TDS/TCS ધોરણોને સુવ્યવસ્થિત કરીને, સરકારે ભારતમાં વ્યવસાય કરવાનું નોંધપાત્ર રીતે સરળ બનાવ્યું છે. આ સુધારાઓ સ્થાનિક અને વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપશે. 12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ આવકવેરો નહીં રાખીને, આવકવેરા સ્લેબનું તર્કસંગતકરણ એ ખૂબ જ રાહ આપનારું અને આવકારદાયક છે. જો કે, આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આવતા અઠવાડિયે લાવવામાં આવનારા નવા આવકવેરા બિલમાં શું હશે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સરળ KYC ધોરણો અને ક્રેડિટ સપોર્ટ મૂડીની સરળતા સુનિશ્ચિત કરશે, વ્યવસાયોને સમૃદ્ધ આર્થિક વાતાવરણમાં વિકાસ અને નવીનતા માટે સશક્ત બનાવશે. એકંદરે, બજેટ આર્થિક વિકાસનો મજબૂત પાયો નાખે છે.”
નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલસીડ્સ દ્વારા ખાદ્યતેલોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારના નિરંતર પ્રયાસો ભારતની આયાત પરની નિર્ભરતાને ઘટાડવા માટે એક મહત્વનું પગલું છે. તેનાથી ખેડૂતોને વધુ સારા બિયારણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ધિરાણની સવલત મળશે. વધુ ઊંચી ઉપજ આપતા બિયારણો પરનું નેશનલ મિશન ઉત્પાદકતા વધારીને તથા આબોહવા સ્થિતિસ્થાપકતા દ્વારા આ વિઝનને પૂરક બનાવે છે. સરકારના આ પ્રયાસો ખાદ્ય તેલની કિંમતોને સ્થિર બનાવવાની મદદરૂપ બનશે તથા સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપશે. મધ્યમ વર્ગ માટે વધુ કરવેરા રાહતોથી માગને પ્રોત્સાહન મળશે, જેનાથી કૃષિ તથા ફૂડ ઇન્ડસ્ટ્રી બંનેને લાભ થશે. આ બજેટ સમગ્ર વેલ્યુ ચેઇનમાં મજબૂત વૃદ્ધિને વેગ આપશે.
વપરાશમાં વધારો કરવા અને તેના પગલે માંગને પુનઃજીવિત કરવા માટે એક દાયકા પછી મધ્યમ વર્ગને મહત્વપૂર્ણ કરવેરા રાહતો મળી છે ત્યારે આ પગલાં સાથે નાણાંપ્રધાને બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. 4.4 ટકાની નાણાંકીય ખાધનો લક્ષ્યાંક રાખીને નાણાંકીય રીતે જવાબદાર રહીને તેમણે આ પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. માનવ-કેન્દ્રિત ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનાથી રોજગારી ઊભી થશે. વીમામાં 100 ટકાના સીધા વિદેશી રોકાણની મર્યાદા અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ સહિત રિન્યૂએબલ્સ પર વિશેષ ધ્યાન સ્પષ્ટપણે હકારાત્મક છે. કરવેરા નીચા રાખીને મૂડી ખર્ચનું સ્તર જાળવી રાખવું મોટી બાબત છે પરંતુ તેના વિશે વધુ વિગતો મળે તે જરૂરી છે. આ બધા પગલાં સાથે સરકાર 2047 સુધીમાં વિકસિત ભારત પર સ્પષ્ટપણે ધ્યાન આપી રહી છે.
“બજેટ માર્કેટ અપેક્ષાઓનું પાલન કરવામાં સફળ રહ્યું છે. તેણે કન્ઝમ્પ્શન અને કેપેક્સ પર ફોકસ જાળવી રાખ્યું છે. મૂડી ખર્ચમાં રિવાઈવલથી અર્થતંત્રને મજબૂતી મળશે. ઈન્કમ ટેક્સમાં રાહતથી ખર્ચયોગ્ય ક્ષમતા વધશે. એગ્રીકલ્ચર માટેની યોજનાઓ તથા ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના પગલાઓની પણ અમે સરાહના કરીએ છીએ. વિવિધ નાણાકિય સ્કિમ્સની રચનાથી ઈનોવેશન, જોબ ક્રિએશન અને સમાવેશિક ગ્રોથને વેગ મળે તેવી અપેક્ષા છે.”
બજેટ 2025-26 ખરેખર આવકાર દાયક છે. ભારતીય અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવ્યું છે, જેથી આશાસ્પદ ભવિષ્યનો માર્ગ મોકળો થયો છે. આ બજેટમાં વધુ પડતા કમ્પ્લાયન્સનો બોજો ઘટાડવાની પહેલની કરવામાં આવી છે. જે ઉદ્યોગો અને વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનવા, તેનો ખર્ચ ઘટાડવા અને નવી વૃદ્ધિની તકો ઉભી કરવામાં મદદ કરશે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટે સ્પષ્ટ માર્ગ દર્શાવે છે, જેમાં ઔદ્યોગિક વિકાસ, સામાજિક કલ્યાણ અને માળખાગત વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. MSME માટે ક્રેડિટ ગેરંટી કવર ₹10 કરોડ સુધી વધારાયું છે, જ્યારે નિકાસ પ્રોત્સાહન મિશન અને BharatTradeNet ડિજિટલ પ્લેટફોર્મ ગ્લોબલ વેપાર સરળ બનાવશે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ELS કપાસ ઉછેરને પ્રોત્સાહન અને શટલ-લેસ લૂમ્સ આયાત જકાત મુક્તિનો નિર્ણય લેવાયો છે. રમકડાં મેન્યુફેક્ચરિંગ માટે નેશનલ એક્શન પ્લાન ભારતને વૈશ્વિક હબ બનાવવા મદદ કરશે. મહિલા ઉદ્યોગકારો માટે ₹2 કરોડ સુધીની ટર્મ લોન યોજના, વૃદ્ધ નાગરિકો માટે કર રાહત, અને GIG કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના પણ બજેટના મુખ્ય હાઇલાઇટ્સ છે.


“12 લાખ રૂપિયા સુધીના આવકવેરામાં મુક્તિ આપવાનો નિર્ણય એક ગેમ-ચેન્જિંગ સુધારો છે, જે ભારતના મધ્યમ વર્ગને ખર્ચપાત્ર આવક વધારીને પ્રોત્સાહન આપે છે. આનાથી ઘરગથ્થુ ખર્ચમાં વધારો થવાની અપેક્ષા છે, જે રિટેલ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો માટે એક આવશ્યક વૃદ્ધિ એન્જિન. કેન્દ્રીય બજેટ 2025-26 આ સુધારા પર નિર્માણ કરે છે જેમાં ઉત્પાદન, MSME અને સ્થાનિક વપરાશને મજબૂત બનાવવા માટે લક્ષિત પગલાં લેવામાં આવ્યા છે. મધ્યમ વર્ગ હવે સ્થાનિક વપરાશનો લગભગ 60% હિસ્સો ચલાવી રહ્યો છે, વધતી ખરીદ શક્તિ મહત્વાકાંક્ષી અને પ્રીમિયમ ઉત્પાદનોની માંગને વેગ આપવાની શક્યતા છે. આ સર્વાંગી વ્યૂહરચના ગ્રાહક ખર્ચ, ઔદ્યોગિક વિકાસ અને કાર્યબળ સશક્તિકરણ વચ્ચે મજબૂત સમન્વય બનાવીને અર્થતંત્રને સતત વિસ્તરણ માટે સ્થાન આપે છે.”
કેન્દ્રીય બજેટ 2025-26 આપણા ગ્રામીણ પરિવારોના જીવનમાં વિકાસ અને સમૃદ્ધિને વેગ આપવા માટે કૃષિ, ડેરી અને સંલગ્ન ક્ષેત્રના મહત્વને વધુ મજબૂત બનાવે છે. ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખરેખર પ્રશંસનીય છે. સંશોધિત વ્યાજ સહાય યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવી એ એક સ્વાગતપાત્ર પગલું છે કારણ કે તે ડેરી ખેડૂતોને વધુ નાણાકીય સુગમતા પ્રદાન કરશે, જે સમયસર ધિરાણની સુલભતા સુનિશ્ચિત કરશે. સરકારે ફરી એકવાર સહકારી સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો છે જે NCDC ને ધિરાણ કામગીરી માટે ટેકો આપશે જે સહકારી સંસ્થાઓ માટે નાણાકીય સુલભતામાં સુધારો કરશે, તેમની વૃદ્ધિ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપશે. ડેરી ક્ષેત્ર સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજનાના અમલીકરણ માટે પણ આતુર છે, જેમાં દૂધ બાળકો અને મહિલાઓ માટે પોષણ સુરક્ષામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત, 5 લાખ મહિલાઓ, SC અને ST ખેડૂતો ધરાવતા ઉદ્યોગ સાહસિકો માટે એક નવી યોજના વધુને વધુ મહિલા ડેરી ખેડૂતોને ડેરી ઉદ્યોગ અપનાવવા અને ડેરી ઉદ્યોગમાં મહિલાઓથી મહિલાઓની આગેવાની હેઠળના ડેરી ઉદ્યોગમાં સંક્રમણ કરવામાં મદદ કરશે. આ બજેટ ખરેખર ખેડૂતો માટે નાણાકીય સહાય, સંસ્થાકીય ભાગીદારી અને સારી કિંમત પ્રાપ્તિને પ્રોત્સાહન આપીને ડેરી અને સંલગ્ન ક્ષેત્રની ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે, જેનાથી લાંબા ગાળાની ગ્રામીણ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
“કેન્દ્રીય બજેટ 2025-26 શહેરી પરિવર્તન માટે મજબૂત પાયો નાખે છે, જેમાં 1.1 લાખ કરોડ રૂપિયા અર્બન ચેલેન્જ ફંડ શહેરના પુનર્વિકાસ, માળખાગત સુવિધાઓના અપગ્રેડ અને ટકાઉ વિકાસને આગળ ધપાવશે. SWAMI યોજના અને SWAMI ફંડ 2 દ્વારા હાઉસિંગ માટે સતત સમર્થન પ્રોજેક્ટ પૂર્ણતાને વેગ આપશે અને ઘર ખરીદનારાઓનો વિશ્વાસ વધારશે. જાહેર-ખાનગી ભાગીદારી (PPP), સંપત્તિ મુદ્રીકરણ અને વ્યવસાય કરવાની સરળતા પર ભાર મૂકવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવી તકો ખુલશે. અરવિંદ સ્માર્ટસ્પેસિસ ખાતે, અમે આ પહેલોનું સ્વાગત કરીએ છીએ, જે ભવિષ્ય માટે તૈયાર શહેરી સમુદાયોના નિર્માણના અમારા વિઝન સાથે સુસંગત છે. આ બજેટ વધુ ગતિશીલ અને સ્થિતિસ્થાપક રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપ માટે માર્ગ મોકળો કરે છે.”
“આ બજેટે યોગ્ય દિશામાં પગલાં ભર્યાં છે, જેમાં મધ્યમ વર્ગને ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. 12 લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે. આ મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં રૂ. 24 લાખ સુધીની આવક ઉપર પણ કરબોજમાં ઘણાં અંશે ઘટાડો કરાયો છે. આપણે વિશ્વ-સ્તરીય કર પ્રણાલી તરફ નિર્ણાયક પગલું ભર્યું છે. જે સરળ, પારદર્શક અને કરદાતાઓ માટે મૈત્રીપૂર્ણ હશે. માઇનિંગની સાથે-સાથે કૃષિ પણ પ્રાથમિકતા છે, જેમાં ખાદ્ય તેલ જેવાં ક્ષેત્રોમાં આત્મ-નિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્ય વિશેષ છે. હું પ્રધાનમંત્રી અને નાણા મંત્રીને એક દૂરંદેશી બજેટ માટે અભિનંદન આપું છું જેમણે મજબૂત વપરાશ વૃદ્ધિ અને ઝડપી રોકાણની સંપૂર્ણ જુગલબંધીને પ્રોત્સાહન આપ્યું છે – જે #ViksitBharat ની ચાવી છે.”


