Home Blog Page 116

બાંગ્લાદેશી ચલણી નોટોમાંથી મુઝીબુર રહેમાનની તસવીર ગાયબ, જુઓ નવી નોટો

બાંગ્લાદેશ: સેન્ટ્રલ બેન્કે પહેલી જૂનના રોજ નવી ડિઝાઇન સાથે નવી ચલણી નોટો જાહેર કરી છે. આ નવી ચલણી નોટોમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુઝીબુર રહેમાનની તસવીર હટાવી દીધી છે. નવી નોટોમાં શેખ મુઝીબુર રહેમાનના ફોટાની જગ્યાએ બાંગ્લાદેશના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ, પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપારિક સ્થળ દોરવામાં આવ્યા છે. અત્યાર સુધી બાંગ્લાદેશની તમામ બેન્ક નોટ પર શેખ મુઝીબુર રહેમાનની તસવીર હતી, જેમણે 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી હતી.

મુઝીબુર રહેમાનના ફોટા વિનાની નોટ બહાર પાડી

બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્કે જણાવ્યું કે, નવી બેન્ક નોટોની સાથે-સાથે મુઝીબુર રહેમાનના ચિત્રવાળી નોટ અને સિક્કા પણ ચલણમાં રહેશે. બાંગ્લાદેશ સેન્ટ્રલ બેન્કના પ્રવક્તા આરિફ હુસૈન ખાને જણાવ્યું કે, ‘નવી સીરિઝ અને ડિઝાઇન હેઠળ, નોટો પર કોઈ માનવ ચિત્ર નહીં હોય પરંતુ, પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપારિક સ્થળ પ્રદર્શિત કરવામાં આવશે.

હિન્દુ અને બૌદ્ધ મંદિરોની તસવીર પણ હશે

બાંગ્લાદેશ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નોટ પર હિન્દુ અને બૌદ્ધ મંદિરો, ઐતિહાસિક મહેલોની તસવીર પણ જોવા મળશે. જેમાં દિગ્ગજ ચિત્રકાર જૈનુલ આબેદીનની કલાકૃતિનો પણ સમાવેશ થશે. આ ચિત્રોમાં બ્રિટિશ સાશન સમયના બંગાળના દુષ્કાળને દર્શાવવામાં આવ્યું છે.

નવી નોટ પર શેખ મુઝીબની જગ્યાએ હશે આ તસવીર

એક અન્ય બેન્ક નોટ પર પાકિસ્તાનની સામે સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોની યાદમાં બનેલા રાષ્ટ્રીય શહીદ સ્મારકને દર્શાવવામાં આવશે. નવ અલગ-અલગ મૂલ્યની ત્રણ નોટ રવિવારે જાહેર કરવામાં આવી હતી. બાકીની નોટ તબક્કાવાર ચલણમાં લાવવામાં આવશે. આરિફ હુસૈન ખાને કહ્યું કે, ‘નવી નોટ કેન્દ્રીય બેન્કના મુખ્યાલય દ્વારા જાહેર કરવામાં આવશે અને બાદમાં દેશભરમાં તેના અન્ય કાર્યાલયોથી જાહેર કરવામાં આવશે.’

બાંગ્લાદેશનો ઈતિહાસ

આ પહેલીવાર નથી કે, બાંગ્લાદેશમાં બદલાતા રાજકારણને પ્રતિબિંબિત કરવા માટે બેન્ક નોટોની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોય. જ્યારે ખાલિદા જિયાના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી સત્તામાં હતી, તો નોટોમાં ઐતિહાસિક અને પુરાતાત્વિક સ્થળોને દર્શાવામાં આવ્યા હતા.

1972માં, શરૂઆતની બાંગ્લાદેશની ચલણી નોટોમાં સ્વતંત્રતા બાદ પૂર્વ પાકિસ્તાન નામ બદલ્યા પછી શું બન્યું તેનો નકશો દર્શાવ્યો હતો. ત્યારબાદની નોટોમાં શેખ મુઝીબુર રહેમાનની તસવીર હતી, જે આવામી લીગના નેતા હતા. તેમની દીકરી શેખ હસીનાએ બાદમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું અને સતત 15 વર્ષ સુધી બાંગ્લાદેશના વડાંપ્રધાન રહ્યા. જો કે ગત વર્ષે ઓગસ્ટમાં તેમની સામે વિદ્યાર્થીઓના નેતૃત્વામાં કરવામાં આવેલા વિદ્રોહ બાદ તેમને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. હસીનાને સત્તામાંથી દૂર કર્યા બાદ ભારતમાં શરણ લીધા બાદ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચલાવવામાં આવી રહી છે.

હસીના સામે બાંગ્લાદેશની કોર્ટમાં સુનાવણી

આ પહેલા રવિવારે બાંગ્લાદેશી ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યૂનલમાં શેખ હસીના પર 2024ના વિદ્યાર્થી નેતૃત્વવાળા વિદ્રોહ દરમિયાન હિંસક દમનમાં તેમની કથિત ભૂમિકા માટે ગુનાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ 77 વર્ષીય નેતા સામે કેસ દાખલ કરવાની સત્તાવાર શરૂઆત કરી દેવાઈ છે. ગત મહિને હસીના અને અન્ય પાર્ટીના નેતા પર કેસ ચાલે છે ત્યાં સુધી આવામી લીગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. બાંગ્લાદેશમાં ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના હસીના સરકાર દ્વારા 1971માં મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાવી સૈનિકોના કટ્ટર સહયોગી પર કેસ દાખલ કરવા માટે કરવામાં આવી હતી. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના સામે લગાવવામાં આવેલા આરોપો માટે મૃત્યુદંડ સુધીનો સામનો કરવો પડી શકે છે.

કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ-આપ બાદ ભાજપના ઉમેદવાર જાહેર

ગાંધીનગર: કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે.પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે કડીથી રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા અને વિસાવદરથી કિરીટ બાલુભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. આ પહેલાં કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને આપ પણ ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે.

કોણ છે રાજેન્દ્ર ચાવડા?

રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણાના વતની છે અને બી.એ. સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે. તેઓ 1972માં જનસંઘમાં જોડાયા હતા અને 6 ડિસેમ્બર 1980થી ભાજપના સભ્ય છે. તેઓ મહેસાણામાંથી 1981 થી 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતી સભ્ય રહી ચૂક્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર કોણ છે? 

કડી વિધાનસભા બેઠક માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) દ્વારા 1 જૂનના રોજ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે જાહેર લીડર હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા. 

આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર કોણ છે? 

આમ આદમી પાર્ટી (આપ)એ પણ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ‘કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે.

IPL 2025 : મુંબઈને હરાવી પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગને એક નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે. IPL 2025 સીઝનના ફાઇનલમાં, બે એવી ટીમો ટકરાશે, જેમણે આજ સુધી ક્યારેય ટાઇટલ જીત્યું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3 જૂન, મંગળવારના રોજ યોજાનારી IPL ફાઇનલમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં, પંજાબ કિંગ્સે કેપ્ટન શ્રેયસ ઐયરની શાનદાર ઇનિંગ્સના આધારે 5 વખતના ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું. આ સાથે, પંજાબે 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કરીને લાંબી રાહનો અંત લાવ્યો.

મુંબઈનો 200 રનનો ગર્વ તૂટી ગયો

રવિવાર, 1 જૂનની રાત્રે અમદાવાદમાં શરૂ થયેલી આ મેચ બીજા દિવસે એટલે કે સોમવાર, 2 જૂનની વહેલી સવારે સમાપ્ત થઈ શકી. વરસાદને કારણે બરાબર અઢી કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં પહેલા બોલથી છેલ્લા બોલ સુધી રોમાંચ ચાલુ રહ્યો. ટોસ હાર્યા બાદ મુંબઈએ પહેલા બેટિંગ કરવી પડી હતી અને આ વખતે તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે રોહિત શર્મા ત્રીજા ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ ઝડપી ઇનિંગ્સ રમવાનું ચાલુ રાખ્યું અને 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો.

મુંબઈનો પહેલો લક્ષ્ય 200 રન સુધી પહોંચવાનો હતો, જેમાં સૂર્યકુમાર યાદવ (44), તિલક વર્મા (44), નમન ધીર (37) અને જોની બેરસ્ટો (38) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુંબઈનો આ સ્કોર એટલા માટે પણ મહત્વપૂર્ણ હતો કારણ કે IPLના 18 વર્ષના ઇતિહાસમાં આ મેચ પહેલા આ ટીમ 200 રનના આંકડાને સ્પર્શ્યા પછી ક્યારેય હાર્યું ન હતું. દર વખતે આ ટીમે 200 કે તેથી વધુ રન બનાવ્યા પછી સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. પરંતુ આ વખતે એવું થઈ શક્યું નહીં અને પહેલીવાર તેને હારનો સામનો કરવો પડ્યો.

ઐયરની કેપ્ટનશીપ ઈનિંગ, નમન પણ તાકાત બતાવી

જોકે, તે પહેલાં પંજાબે 72 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં જોશ ઈંગ્લીસ (38)નું પેવેલિયનમાં પાછા ફરવું એ એક મોટો આઘાત હતો કારણ કે તે તોફાની ઈનિંગ રમી રહ્યો હતો. પરંતુ પંજાબના કેપ્ટન ઐયર આ વખતે ઇતિહાસ બદલવા માટે કટિબદ્ધ હતા અને આમાં તેમને યુવા પંજાબી બેટ્સમેન નેહલ વાઢેરાનો શ્રેષ્ઠ સહયોગ મળ્યો, જે ગયા સીઝન સુધી મુંબઈનો ભાગ હતા. બંનેએ મળીને 84 રનની ઝડપી ભાગીદારી કરી, જેનાથી ટીમ જીતની સ્થિતિમાં પહોંચી ગઈ.

ત્યારબાદ નેહલ (48) અને શશાંક સિંહ થોડા રનમાં આઉટ થઈ ગયા અને મુંબઈ પાસે પાછા આવવાની તક હતી. પરંતુ આ વખતે જસપ્રીત બુમરાહ પણ પંજાબને રોકવામાં નિષ્ફળ ગયો અને 4 ઓવરમાં 40 રન આપી દીધા, જ્યારે કોઈ વિકેટ લઈ શક્યો નહીં. પંજાબને આ સાવધ આક્રમકતાનો બદલો મળ્યો અને કેપ્ટન ઐયરે 19મી ઓવરમાં 4 છગ્ગા ફટકારીને મેચનો અંત કર્યો અને ટીમને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડી. ઐય્યર માત્ર ૪૧ બોલમાં ૮૭ રન બનાવીને અણનમ પાછો ફર્યો, જેમાં ૮ છગ્ગા અને ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે ભારે વિનાશ, 30ના મોત

પૂર્વોત્તર ભારત ફરી એકવાર કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદને કારણે મણિપુર અને સિક્કિમમાં પૂર અને ભૂસ્ખલન થયું છે. સતત ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તે જ સમયે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પણ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. IMD એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. જેના કારણે પૂર્વોત્તરમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. જો કે, સરકાર અને વહીવટીતંત્ર લોકોને શક્ય તેટલી બધી મદદની જાહેરાત કરી રહ્યું છે. તે જ સમયે, સેના અને આસામ રાઇફલ્સની ટીમો સતત લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં રોકાયેલી છે.

મણિપુરમાં છેલ્લા 48 કલાકથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે, નદીઓનું પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં રાજ્યના 3800 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજધાની ઇમ્ફાલ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં સૌથી વધુ વિનાશ થયો છે, જ્યાં બંધ તૂટવાથી રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 883 ઘરોને નુકસાન થયું છે. સેના અને આસામ રાઇફલ્સની ટીમો રાહત કામગીરીમાં રોકાયેલી છે. લગભગ 8000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ પોતે ઇમ્ફાલના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને વર્તમાન પરિસ્થિતિ અંગે વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 3275 ગામો પૂરથી પ્રભાવિત થયા છે, 12 સ્થળોએ ભૂસ્ખલન થયું છે અને 64 પશુઓના મોત થયા છે. ચેકોન વિસ્તારમાં ઇમ્ફાલ નદીનું પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે, જેના કારણે ઓલ ઇન્ડિયા રેડિયો કેમ્પસ અને જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી મોટી સરકારી સંસ્થાઓ પણ પાણી ભરાઈ ગઈ છે.

કર્ણાટકમાં પણ વરસાદને કારણે ભારે વિનાશ

કર્ણાટકમાં એપ્રિલથી મે મહિના દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે અત્યાર સુધીમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. મે મહિનામાં 125 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૨૫ વર્ષમાં સૌથી વધુ ચોમાસા પહેલાનો વરસાદ મે મહિનામાં નોંધાયો હતો. એપ્રિલ-મે દરમિયાન જ વીજળી પડવાથી ૪૮ લોકોના મોત થયા હતા. જ્યારે વૃક્ષો પડવાથી, દિવાલ પડવાથી, ડૂબવાથી અને વીજળીના આંચકાથી પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૯ મેથી ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૩૧ લોકોના મોત થયા છે. ૩૧ મેના રોજ જ ૨૨ લોકોના મોત થયા હતા. તે જ સમયે, કેરળ અને તમિલનાડુમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડ્યો

ત્રિપુરામાં સતત ભારે વરસાદને કારણે, પાણી ભરાઈ જવાથી ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યની રાજધાની અગરતલામાં માત્ર ત્રણ કલાકમાં રેકોર્ડ ૨૦૦ મીમી વરસાદ પડ્યો છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ૭ લોકોના મોત થયા છે. તે જ સમયે, ઝીરો-કમાલે રોડ પર ભૂસ્ખલનમાં ૨ મજૂરોના મોત થયા છે.

આસામના 11 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

આસામના 11 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. આ જિલ્લાઓમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ૨૬,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગોલાઘાટ જિલ્લામાં એક બાળક સહિત ૩ લોકોના મોત થયા છે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં બીજા દિવસે પણ પૂરનો કહેર જોવા મળ્યો હતો. મુશળધાર વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે અને ઘણી જગ્યાએ પાળા તૂટી ગયા છે. પાળા તૂટવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ છે.

અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ફોન પર વાત કરીને આસામની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આસામમાં પૂર અને ભૂસ્ખલનને કારણે આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય પહેલા મને ફોન કરીને આસામમાં આવેલા પૂર વિશે માહિતી મેળવી હતી અને વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે તેમને રાજ્ય સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. ચિંતા વ્યક્ત કરવા અને શક્ય તમામ સહાય આપવા બદલ અમે તેમના આભારી છીએ. અધિકારીઓએ કહ્યું છે કે પૂરને કારણે 15 થી વધુ જિલ્લાઓમાં 78,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

IPL 2025 : મેચમાં વિલન બન્યો વરસાદ, મુંબઈની પહેલા બેટિંગ

IPL 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) ટકરાઈ રહ્યા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ, પંજાબે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ વરસાદના પગલે મેચ શરુ થવામાં મોડું થઈ રહ્યું છે. હાલમાં અમદાવાદમાં વરસાદના પગલે મેચ શરૂ થઈ શકી નથી.

આ મેચ સેમિફાઇનલ જેવી હશે, જ્યાં બંને ટીમોની હારનો અર્થ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પરંતુ વિજેતા ટીમ 3 જૂને ફાઇનલમાં RCB સામે સીધી ટક્કર લેશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે એકતરફી ક્વોલિફાયર 1 માં આઠ વિકેટથી હાર બાદ પંજાબ કિંગ્સનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે. હવે કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની આ ટીમ પોતાનું પહેલું IPL ટાઇટલ જીતવાની આશાઓ માટે ‘કરો યા મરો’ની સ્થિતિમાં પહોંચી ગઈ છે.

બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સે એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પોતાના છઠ્ઠા ટાઇટલ તરફ વધુ એક પગલું ભર્યું. ઇતિહાસ દર્શાવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ પાસે IPL નોકઆઉટના આ માર્ગમાં પંજાબ કિંગ્સ અને અન્ય ટીમો કરતાં રમવાનો વધુ અનુભવ છે, અને આ જ બાબત હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને આ મેચમાં થોડી સરસાઈ આપે છે.

જાણો કોનો હાથ ઉપર છે

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હંમેશા રોમાંચક યુદ્ધ રહ્યું છે. IPLમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 17 અને પંજાબ કિંગ્સે 16 મેચ જીતી છે. છેલ્લી 5 મેચમાં, પંજાબ કિંગ્સનો હાથ ઉપર રહ્યો છે, 3 મેચ જીતી છે.

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન)

રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી.

પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન)

પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંઘ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

યુક્રેનનો 4 રશિયન એરબેઝ પર મોટો ડ્રોન હુમલો

યુક્રેનએ રશિયાના ચાર મહત્વપૂર્ણ એરબેઝ – ઓલેન્યા અને બેલાયા પર હુમલો કર્યો છે. યુક્રેનિયન સેનાએ આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે તે રશિયા-યુક્રેન સરહદની અંદર સ્થિત છે. યુક્રેનિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો યુક્રેનિયન સેના દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. યુક્રેને ખાસ કરીને તે બેઝને નિશાન બનાવ્યો છે જેનો ઉપયોગ રશિયા બોમ્બમારો કરવા માટે કરી રહ્યું હતું.

યુક્રેને કહ્યું છે કે તેણે રશિયાની અંદર સ્થિત અનેક એરબેઝ પર ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં 40 થી વધુ રશિયન બોમ્બરનો નાશ કર્યો છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેન પર બોમ્બમારો કરવા માટે કરી રહ્યું હતું. યુક્રેન કહે છે કે આ એ જ વિમાનો છે જે ઘણીવાર યુક્રેન ઉપર ઉડે છે અને બોમ્બ ફેંકે છે. યુક્રેને મુર્મન્સ્કમાં ઓલેન્યા એરબેઝ, ઇર્કુત્સ્કમાં બેલાયા એરબેઝ, ઇવાનોવોમાં ઇવાનોવો એરબેઝ અને રશિયામાં ડાયગિલેવો એરબેઝને નિશાન બનાવ્યા છે.

યુક્રેનની સુરક્ષા સેવા (SBU) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના ડ્રોન રશિયન ક્ષેત્રમાં ઊંડાણમાં જવા અને Tu-95, Tu-22 જેવા મોટા બોમ્બર અને મોંઘા અને દુર્લભ A-50 જાસૂસી વિમાનોને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા હતા. SBU એ જણાવ્યું હતું કે આ હુમલો “બેલાયા” એર બેઝ પર થયો હતો, જે રશિયાના ઇર્કુત્સ્કના દૂરના વિસ્તારમાં આવે છે. આ ઉપરાંત, “ઓલેન્યા” એર બેઝ પર પણ આગ લાગવાના અહેવાલો છે, પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ વિમાનો રશિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, Tu-95 એ 1950 ના દાયકાનું જૂનું વિમાન છે, પરંતુ તે હજુ પણ ઘણી ક્રુઝ મિસાઇલો વહન કરવામાં સક્ષમ છે, જે દૂરના શહેરોને નિશાન બનાવી શકે છે. તેમાં જેટ એન્જિનને બદલે મોટા ફરતા પ્રોપેલર્સ છે, અને તે લાંબા અંતરને આવરી શકે છે.

2026 માં અમે મમતા સરકારને હંમેશા માટે ઉખેડી ફેંકીશું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ભાજપ કાર્યકરોને સંબોધતા કહ્યું કે 2026 માં મમતા બેનર્જી સરકાર હંમેશા માટે ઉખેડી નાખવામાં આવશે. તેમણે કહ્યું, જ્યારે પણ શુભેન્દુ વિધાનસભામાં ઉભા રહે છે, ત્યારે દીદી ડરી જાય છે. અમિત શાહે મમતા બેનર્જી પર ચૂંટણીમાં હિંસાનો આશરો લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. હિંસા વિના મતદાન કરો અને તમે વાસ્તવિકતા સમજી શકશો.

શાહે દાવો કર્યો, બંગાળમાં ચૂંટણી એકમાત્ર પરિબળ નથી, પરંતુ સુરક્ષા પણ એક પરિબળ છે. વર્ષોથી, તેમના આશીર્વાદથી, બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં ઘુસણખોરો ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે, જેથી તેમની વોટ બેંકની રાજનીતિ ચાલુ રહે, પરંતુ આ લાંબો સમય ચાલશે નહીં.

તેમણે એક આંકડો પણ રજૂ કર્યો જે દર્શાવે છે કે બંગાળમાં ભાજપ ખૂબ જ ટૂંક સમયમાં જીતશે. શાહે કહ્યું, “૨૦૧૭ની ચૂંટણી પછી, અમે 19મી લોકસભાની તૈયારી કરી. પછી ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં, અમે 77 બેઠકો જીતી. પછી ૨૪મી લોકસભામાં, ભાજપ 97 વિધાનસભા બેઠકો પર આગળ હતું. અમને 143 બેઠકો પર 40 ટકાથી વધુ મત મળ્યા. એટલે કે, જો અમે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં થોડી વધુ પ્રગતિ કરીશું, તો અમારી સરકાર આગામી ચૂંટણી માટે તૈયાર રહેશે.”

2026માં મમતા સરકારને ઉથલાવીશું

અમિત શાહે કહ્યું કે મુર્શિદાબાદમાં રમખાણો થયા હતા, અમે મમતાને રમખાણો રોકવા માટે બીએસએફ મોકલવા વિનંતી કરી હતી, મમતાએ આ વાત સાથે અસંમત થઈ અને હિન્દુઓને ત્રાસ આપ્યો. બાદમાં બીએસએફ તેમને બચાવવા આવ્યું. મુર્શિદાબાદ રાજ્ય પ્રાયોજિત રમખાણો છે. શું મોદીએ વક્ફ બિલ લાવીને કંઈ ખોટું કર્યું? વક્ફનો વિરોધ કરવાના નામે મમતા કોને બચાવી રહી છે?

IPL 2025: મુંબઈ અને પંજાબ વચ્ચે કરો યા મરોનો મુકાબલો

આજે IPL 2025માં, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. પંજાબની ટીમે પ્રથમ ક્વોલિફાયર મેચ RCB સામે ખરાબ રીતે હારી ગઈ હતી. આજની મેચમાં, તેઓ પોતાની ભૂલો સુધારીને ફાઇનલમાં પહોંચવાનો માર્ગ શોધશે.

મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને અહીં પહોંચી છે. MI પણ ફાઇનલમાં પહોંચવા માટે નજર રાખશે. આજની મેચમાં, MI કેપ્ટન હાર્દિક પંડ્યા અને પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર તેમજ રોહિત શર્મા, પ્રિયાંશ આર્ય જેવા ખેલાડીઓ પર પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. IPLના ઇતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 17 જીતી છે જ્યારે પંજાબે 16 મેચ જીતી છે.

જો આ આંકડા પર નજર કરીએ તો, બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા રહી છે. 2023 અને 2024 માં બંને ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં જીત-હારનો સિલસિલો પણ સમાન હતો, જે સ્પષ્ટ કરે છે કે બંને ટીમો એકબીજાને કઠિન સ્પર્ધા આપે છે. આ સિઝનમાં, બંને ટીમો ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ હતી, જ્યાં શ્રેયસ ઐયરના નેતૃત્વમાં પંજાબે મુંબઈને હરાવ્યું હતું.

પંજાબ કિંગ્સ ટીમને આશા છે કે તેના બંને ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ મજબૂત શરૂઆત આપશે. પંજાબની ટીમ આ ઓપનિંગ જોડી પર ખૂબ નિર્ભર છે. તે જ સમયે મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ પર નજર રાખશે.