યમન: અમેરિકન સેનાએ શનિવારે હૂતી વિદ્રોહીઓ પર એરસ્ટ્રાઈક કરી. આ હુમલામાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી હૂતી વિદ્રોહીઓ સામે અમેરિકાની આ પહેલી મોટી કાર્યવાહી છે. ટ્રમ્પે આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે લખ્યું- હૂતી આતંકવાદીઓ, તમારો સમય પૂરો થઈ ગયો છે. અમેરિકા તમારા પર આકાશમાંથી એવો કહેર વરસાવશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય. આ કાર્યવાહી લાલ સમુદ્રમાં અમેરિકન જહાજો પર હૂતીઓના હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ચાર મહિના પહેલા, હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં યુએસ યુદ્ધ જહાજો પર અનેક હુમલાઓ કર્યા હતા.
Raw footage of US Navy Tomahawk missile & F-18 Super Hornet strikes on Houthi Terror targets in Yemen – courtesy of the USS Harry S. Truman aircraft carrier.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન આ હૂથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ આતંકવાદીઓ અમેરિકન વિમાનો પર મિસાઇલો ઝીંકી રહ્યા છે અને અમારા સૈનિકો અને સાથી દેશોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓથી અમેરિકા અને વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થયું છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
ઈરાનને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે તે હૂતી આતંકવાદીઓને સાથ આપવાનું બંધ કરે. અમેરિકા, તેના રાષ્ટ્રપતિને ધમકાવવાનો પ્રયાસ ન કરો. જો તમે આમ કરશો, તો અમેરિકા તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે અને અમે આને હળવાશથી નહીં લઈએ!
પાકિસ્તાન: બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. રવિવારે સવારે નોશ્કીના હાઇવે પાસે ક્વેટાથી તફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહનો પર BLA દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે હાઇવે પરથી પસાર થઈ રહેલા સેનાના કાફલાના વાહનમાં વિસ્ફોટ થયો હતો. BLA એ કહ્યું કે આ વાહન તેમનું પહેલું ટાર્ગેટ હતું, જ્યારે તેની પાછળ આવતું બીજું વાહન તેમનું બીજું ટાર્ગેટ હતું.
Breaking News
Baloch Liberation Army media #Hakkal published the first visuals #Noshki attack on Pakistan Army’s convoy.
– BLA Majeed Brigade and Special Unit Fateh Squad targeted an occupying Pakistani Army convoy in a deadly attack in Noshki. A total of 90 enemy personnel… pic.twitter.com/n4sCc3DNKM
આ વીડિયોની શરૂઆતમાં BLA એ લખ્યું છે કે તેના માજીદ બ્રિગેડ અને ફતેહ સ્ક્વોડે નોશકી નજીક સેનાના કાફલા પર ટાર્ગેટ એટેક કર્યો. BLA એ દાવો કર્યો હતો કે આમાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ દરમિયાન રવિવારે સાંજે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગ્વાદર કોસ્ટ ગાર્ડ પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં સુરક્ષા દળો અને હુમલો કરનારા લડવૈયાઓએ એકબીજા પર ગોળીબાર કર્યો.
આત્મઘાતી લડવૈયાએ વિસ્ફોટકો ભરેલા વાહનથી હુમલો કર્યો
અહેવાલો અનુસાર સવારે BLAનો એક આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે સેનાના કાફલા સાથે અથડાયો હતો. આ પછી, ફતેહ સ્ક્વોડ સેનાના કાફલામાં ઘૂસી ગયું અને હુમલો કર્યો. જે વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ઘાયલોને નોશકીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં કટોકટી લાદવામાં આવી હતી.
પાકિસ્તાની પોલીસે કહ્યું – ફક્ત 5 સૈનિકો માર્યા ગયા
બલૂચ આર્મીના દાવાથી વિપરીત, પાકિસ્તાની પોલીસે કહ્યું છે કે રસ્તાની નજીક પડેલો બોમ્બ ફૂટ્યો હતો. ત્યાંથી પસાર થતી સૈનિકોને લઈ જતી એક બસ તેની સાથે અથડાઈ. આ હુમલામાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પાકિસ્તાન: ક્વેટામાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI)ના એક વરિષ્ઠ નેતાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ક્વેટાના એરપોર્ટ રોડ પર બની હતી. હુમલાખોરોએ જમિયતના નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ પર ગોળીબાર કર્યો. પોલીસનું કહેવું છે કે આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ સત્તાવાળાઓએ પુષ્ટિ આપી કે મુફ્તીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું. સુરક્ષા દળોએ આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. રવિવારે ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સાત સૈનિકો માર્યા ગયા હતા જ્યારે 21 ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લેતા, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.
અગાઉ, 11 માર્ચે, ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસને BLA બળવાખોરોએ હાઇજેક કરી લીધી હતી. આ ટ્રેન બપોરે 1.30 વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનના મશફાક ટનલમાં થયો હતો. આ હુમલો BLA દ્વારા સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. BLA લડવૈયાઓ પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. હુમલા માટે, BLA એ તેના સૌથી ઘાતક લડવૈયાઓ માજીદ બ્રિગેડ અને ફતેહને તૈયાર કર્યા હતા.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
સદ્ગુરુ: આદિ શંકરાચાર્ય એક અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ, ભાષાકીય રીતે પ્રતિભાશાળી અને સૌથી મહત્વનું કે એક આધ્યાત્મિક રોશની અને ભારતનું ગૌરવ હતા. તેમના ટૂંકા જીવનકાળ દરમિયાન, તેઓ આ દેશના વિસ્તારના દરેક ભાગ સુધી પહોંચ્યા. આ ઊર્જા, આ જુસ્સો અને આ જ્ઞાન ક્યાંથી આવ્યું?
શંકરાચાર્ય કલાડી નામના ગામમાંથી આવ્યા હતા, જેનો શાબ્દિક અર્થ થાય છે “પગની નીચે.” દક્ષિણમાં, અમે ભારત માતાના ચરણોમાં છીએ. ભારતીય હોવું એટલે કે આપણે હંમેશા ઈશ્વરના ચરણોમાં કેવી રીતે રહેવું તે શીખ્યા છીએ. ઈશ્વરના ચરણોમાં રહીને આપણે વિકાસ પામ્યા અને ખીલ્યા. આ ઠાઠમાઠની સંસ્કૃતિ નથી, પરંતુ કુદરતી ધર્મનિષ્ઠાની સંસ્કૃતિ છે.
બધું જ માયા છે
શંકરાચાર્યએ કહ્યું, “બધું જ માયા છે.” માયા એટલે ભ્રમણા, મતલબ કે તમે તેને તે જે રીતે છે તે રીતે નથી જોઈ રહ્યા. અહીં તમે દેખીતી રીતે આ નક્કર શરીર સાથે છો, પરંતુ તમે જે ખોરાક ખાઓ છો તેનાથી, તમે જે પાણી પીવો છો તેનાથી અને તમે શ્વાસ લો છો તે હવાથી, તમારા શરીરના કોષોમાં રોજિંદા ધોરણે આપ-લે થાય છે. આનો અર્થ એ છે કે થોડા સમય પછી, તમારી પાસે સંપૂર્ણપણે નવું શરીર છે. પણ તમારા અનુભવમાં, એવું લાગે છે કે તે એની જ વસ્તુ છે – આ માયા છે. તેવી જ રીતે, તમે પાંચ ઇન્દ્રિયો દ્વારા અસ્તિત્વને જે રીતે અનુભવો છો, તે સંપૂર્ણપણે અસ્પષ્ટ છે – આ તે ભ્રમણા છે, માયા છે, જેના વિશે શંકરાચાર્યએ વાત કરી હતી.
એક વાર્તા છે કે કેવી રીતે એકવાર કાશીમાં, શંકરાચાર્ય વહેલી સવારે સ્નાન કર્યા પછી એક મંદિરમાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે એક ચંડાલ તેમના રસ્તામાં આવ્યો. ચંડાલ સ્મશાનની જાળવણી કરનાર એક ચોક્કસ જાતિ હતી. તેઓ સૌથી નીચા અને અશુભ ગણાતા હતા. એવી માન્યતા હતી કે તમે ચંડાળને જોશો તો મૃત્યુ આવશે. તેમની સાથે કોઈ કંઈ લેવા દેવા રાખતું નહોતું અને તેમને દૂર રાખવામાં આવતા હતા. તેથી જ્યારે આ માણસ તેમની સામે આવ્યો, ત્યારે શંકરાચાર્યએ કહ્યું, “દૂર જાઓ.” તે માણસ ત્યાં જ ઊભો રહ્યો અને પૂછ્યું, “કોણે દૂર જવું જોઈએ – મારે કે મારા શરીરે?”
આનાથી શંકરાચાર્યને ગંભીર આઘાત લાગ્યો. તે બધાને શીખવતા હતા કે, “તમે આ શરીર નથી, આ બધી માયા છે.” હવે જ્યારે આ વ્યક્તિએ આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તે તેમને ખૂંચી ગયો. તે પછી, તેમણે ફરી ક્યારેય એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં, ક્યારેય ઉપદેશ આપ્યો નહીં. તેઓ બસ હિમાલયમાં ચાલ્યા ગયા. કેદારનાથમાં, આજે પણ તેમના માટે એક સ્મારક છે – આરસમાં કોતરેલા ફક્ત તેમના હાથ અને આધાર માટે ઉપયોગમાં લેવાયેલ દાંડીઓ, દિવાલમાંથી બહાર નીકળે છે. તેઓ જોવા મળ્યા હોય તેવું તે છેલ્લું સ્થાન છે. વાર્તા એવી છે કે તેઓ ત્યાંથી ઉપર ચાલ્યા ગયા અને શિવ સાથે ભળી ગયા.
આ આપણા રાષ્ટ્ર અને સંસ્કૃતિનો મૂળભૂત સ્વભાવ છે – આપણે કોઈને પછાડીને આગળ આવતા નથી – આપણે નીચે નમીને આગળ આવીએ છીએ. પછી ભલે તે ભગવાન હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, પ્રાણી હોય, વૃક્ષ હોય કે ખડક હોય – આપણે દરેક વસ્તુને નમન કરવાનું શીખ્યા છીએ. આ આપણી શક્તિ રહી છે, આ જ આપણો માર્ગ રહ્યો છે, આ આપણી ઉત્ક્રાંતિ અને અનુભૂતિની પ્રક્રિયા અને પદ્ધતિ રહી છે. ચાલો આપણે આ દેશમાં અને બાકીના વિશ્વમાં શંકરાની ભાવનાને ફરીથી પ્રજ્વલિત કરીએ.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
અમદાવાદ : જાણીતા લેખક, પત્રકાર, નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું અવસાન થયું છે. ઉત્તમ લેખક, ઉમદા વ્યક્તિત્વ રજનીકુમાર પંડ્યાનું 15 માર્ચના રોજ અવસાન થયું. 16 માર્ચ રવિવારે મણીનગર અમદાવાદ એમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી. જેમાં લેખકો, કવિઓ, પત્રકારો, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌરાષ્ટ્રના જેતપુરમાં તા.6-7-1938 જન્મેલા રજનીકુમાર પંડ્યાએ લગભગ 1958-59ની સાલથી નવલિકાઓના લેખનથી લેખનની શરૂઆત કરી. 1980પછી ‘સંદેશ’માં ‘ઝબકાર’ કટાર દ્વારા એમને વિશેષ ખ્યાતી મળી. 2020સુધીમાં તેમના સિત્તેર ઉપરાંત પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એમાંથી સાત નવલકથાઓમાંથી અર્ધાથી વધારે તો ટી.વી. સિરિયલ કે નાટકમાં રૂપાંતર પામી.
એમની સૌથી વધુ પ્રસિદ્ધ નવલકથા ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે વાર હિંદી ટી.વી. સિરિયલો બની. ટી.વીના પડદે પ્રાઈમ ટાઈમમાં દર્શાવાઈ. ‘કુંતી’ની માંગ તો મશહુર સ્ટાર દેવઆનંદે રજનીકુમારને સામેથી પત્ર લખીને કરી હતી પરંતુ હકો અન્યને અપાઇ ગયેલા હોવાથી દેવ આનંદને આપી ન શકાયા.
ઉપરાંત તેઓ વિશેષ આમંત્રણથી 1994માં અમેરિકા જઈને સાચ્ચા પાત્રો વચ્ચે રહીને લખેલી ‘પુષ્પદાહ’ પરથી મુંબઈના નિર્માત્રી સુશીલા ભાટીયા ‘વો સુબ્હા હોગી’ નામની ધારાવાહી હિંદીમાં બનાવી રહ્યા છે. જેના સંવાદો તેમના ભાઈ હરિશ ભીમાણી (‘મેં સમય હું’ ફેઈમ) લખી રહ્યા છે. રજનીકુમારની નવલિકા ‘જુગાર’ પરથી અભિનેત્રી આશા પારેખે જ્યોતિ સિરીયલમાં એક એપિસોડ બનાવ્યો. ગોવિંદ સરૈયાએ પણ એમની એક વાર્તા ‘આકાશમાં છબી’ પરથી WHO માટે ટૅલિફિલ્મ બનાવી. તેમની નવલકથા ‘અવતાર’ પરથી મુંબઈના નાટ્યકાર અરવિંદ જોશીએ ‘આયના તૂટે તો બને આભલાં’ જેવું સુંદર સ્ટેજ પ્લે બનાવ્યું હતું અને હાલમાં હિંદી ફિલ્મ બની રહી છે.
રજનીકુમાર પંડ્યાની ટૂંકી વાર્તાઓ પરથી અમદાવાદ દૂરદર્શને ભાત ‘ભાત કે લોગ’ સિરીયલના ઘણા એપિસોડ બનાવ્યા હતા. એમની રચના ‘પરભવના પિતરાઈ’ ચરિત્રાત્મક નવલકથા ઉપરથી ટેલિફિલ્મ બની હતી. દિલ્હીની સુવિખ્યાત નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા એ તેમની નવલિકા ‘કંપન જરા જરા’નું નાટ્યમંચન દિલ્હી નિમંત્રીને અને તેમની જ ઉપસ્થિતિમાં કર્યું હતું.
એમણે લખેલા જીવનચિત્રોનું એક પુસ્તક ‘અનોખા જીવનચિત્રો’ સુરતની નર્મદ યુનિવર્સિટીમાં એમ.એ. પાર્ટ-2ના અભ્યાસક્રમમાં હતું. મુંબઈના હિરાલક્ષ્મી ફાઉન્ડેશન માટે એમણે નેવું વર્ષ પહેલાંના ઉચ્ચ કક્ષાના ગુજરાતી સામયિક ‘વીસમી સદી’ને ડીજીટલાઈઝ્ડ કરી તેની વેબસાઈટ gujarativismisadi.com વિશ્વના કરોડો ગુજરાતીઓ સમક્ષ રજૂ કરી ભાષાની મોટી સેવા કરી. આ ઉપરાંત તેમણે ગુજરાતી ડિસ્કવરી ચેનલ જેવા જૂના ગુજરાતી સામયિક ‘પ્રકૃતિ’ને પણ વેબસાઈટ ઉપરની રીતે નિર્મિત કરી. gujaratiprakruti.com વળી તેમણે રાજવી શાયર ‘રુસ્વા’ મઝલૂમી તથા વિખ્યાત ભક્તિ સંગીતના વયોવૃદ્ધ ગાયિકા જૂથિકા રોયની હિંદી ડોક્યુમેંટ્રી સી.ડી.નું નિર્માણ કાર્ય પણ કર્યું.
રજનીકુમારના દિગ્દર્શનમાં કવિકુલગુરુ કાલિદાસના ‘મેઘદૂત’ના ગુજરાતી સમશ્લોકી અનુવાદને સાંગીતિક સ્વરૂપ અપાયું છે. જેની સ્વર રચના આશિત દેસાઈએ કરી અને પ્રફુલ્લ દવેએ આપ્યા. મહાન ગાયકો અને સંગીતકારોની સાથેના તેમના અંગત સંસ્મરણો અને મુલાકાતો પર આધારિત પુસ્તક ‘આપકી પરછાંઈયા’ની ગુજરાતીમાં બે આવૃત્તિ થવા ઉપરાંત તે હિંદી અને અંગ્રેજીમાં પણ અનુવાદિત થઇને પ્રકાશિત થયું છે. ‘કુમાર’ માં પાંચ વર્ષ લગી સતત ચાલેલી, હિંદી બોલપટના પ્રથમ દર્શક (1931-41) નો વિગતથી ભરપૂર ઈતિહાસ આલેખતી તેમની લેખમાળા ફિલ્માકાશ માટે તેમને 2003માં પ્રતિષ્ઠિત કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. સાહિત્યસર્જનના ક્ષેત્રે ગુજરાત સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકનારા પાંચ ઍવૉર્ડ, ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદના બે ઍવૉર્ડ તેમને મળ્યા છે. ઉપરાંત કુમાર સુવર્ણચંદ્રક અને ધૂમકેતુ પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે. કોલકત્તાથી રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટ્સમેન અખબારનો ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકારના સર્વશ્રેષ્ઠ બે ઍવૉર્ડ એમને મળી ચૂક્યા છે. દૈનિક અખબાર સંઘના પણ બે ઍવૉર્ડ એમને એનાયત કરવામાં આવ્યા હતા.
દક્ષિણ યુરોપિયન દેશ ઉત્તર મેસેડોનિયામાં એક નાઈટક્લબમાં આગ ફાટી નીકળતાં હંગામો મચી ગયો હતો. આ અકસ્માતમાં 51 લોકો બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે 100 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના ગૃહ મંત્રાલયે આ માહિતી આપી. અહેવાલો અનુસાર, રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિમી પૂર્વમાં સ્થિત કોકાની શહેરમાં પલ્સ નાઇટક્લબમાં રવિવારે સવારે આગ લાગી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે નાઈટ ક્લબમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગ કેટલી ગંભીર હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના વાદળો ચારેબાજુ ફેલાતા દેખાય છે. ફૂટેજમાં ઇમારતમાં આગ લાગી હતી અને રાત્રિના આકાશમાં ધુમાડો ઉડતો દેખાતો હતો. અકસ્માત સમયે ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ ઘટનાથી ક્લબમાં બૂમાબૂમ અને ચીસો પડી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા.
લોકોએ ક્લબમાં ફટાકડા ફોડ્યા
મેસેડોનિયાના ગૃહમંત્રી પંચે તોશકોવસ્કીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે નાઈટક્લબ પલ્સ ખાતે પોપ ગ્રુપ કોન્સર્ટ દરમિયાન આ ઘટના બની હતી. લોકોએ ક્લબમાં ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ક્લબની છતમાં આગ લાગી ગઈ હતી. મંત્રીએ કહ્યું કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગીત કાર્યક્રમ દરમિયાન ક્લબમાં એક હજારથી વધુ લોકો હાજર હતા. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને કોકાનીની સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.