પહેલગામ હુમલા પર આ શું બોલી ગયા મંત્રી નિતેશ રાણે?

ફડણવીસ સરકારના મંત્રી નિતેશ રાણેએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રત્નાગિરિ જિલ્લાના દાપોલી તાલુકામાં આયોજિત હિન્દુ ધાર્મિક મેળાવડામાં રાણેએ મંચ પરથી કહ્યું , મુસ્લિમો પાસેથી સામાન ન ખરીદો. જો તેઓ આપણો ધર્મ પૂછ્યા પછી આપણને ગોળી મારી દે છે, તો તમારે પણ ધર્મ પૂછ્યા પછી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. જો તે કહે કે તે હિન્દુ છે તો તેને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહો… કારણ કે તે જૂઠું પણ બોલી શકે છે. તમારે ફક્ત હિન્દુ દુકાનોમાંથી જ સામાન ખરીદવો જોઈએ. જો આ લોકો (ઔરંગઝેબ) તેમના પરિવારના સગા નથી થયા તો આપણા શું થશે, આ લોકો તેમના ધર્મ પ્રત્યે એટલા કટ્ટર છે કે આપણે તેમને શા માટે ધનવાન બનાવીએ.

જો તેઓ ધર્મ વિશે પૂછીને ગોળીબાર કરી રહ્યા છે, તો ઓછામાં ઓછું તમારે ધર્મ વિશે પૂછીને સામાન ખરીદવો જોઈએ અને આ માંગ હિન્દુ સમાજે કરવી જોઈએ. દુકાનમાં ગયા પછી તમે તેને પૂછો કે તેનો ધર્મ શું છે, તે જૂઠું પણ બોલી શકે છે કારણ કે તે નકામો છે. તેથી, કોઈપણ ખરીદી કરતા પહેલા ધર્મ વિશે પૂછો. જો તે પોતાને હિન્દુ કહે તો તેને કહો હનુમાન ચાલીસાનો પાઠ કરીને બતાવે, તેની હવા નિકળી જશે. આ પછી તેને કહો કે હું તમારી પાસેથી સામાન ખરીદીશ નહીં અને પછી કોઈ હિન્દુની દુકાને જાએ…આ નિર્ણય
તમારે લેવો જોઈએ.

જેમને આપણે દૂધ પીવડાવીએ છીએ તેઓ જ આપણને કરડશે

જો તેઓ પોતાના ધર્મ પ્રત્યે આટલા કટ્ટર છે તો આપણે તેમને શા માટે ધનવાન બનાવી રહ્યા છીએ? જો તેઓ ધર્મ માટે જેહાદ કરી રહ્યા છે તો આપણે તેમની સાથે ભાઈચારાની વાત કેમ કરીએ છીએ? તમારે આ ધાર્મિક મેળાવડામાંથી શપથ લેવા જોઈએ કે હવેથી આપણે ફક્ત હિન્દુઓ પાસેથી જ સામાન ખરીદીશું, પછી જુઓ કે તેઓ કેવી રીતે ધ્રૂજવા લાગ છે… આપણે તેમને દૂધ પીવડાવીશું અને પછી તે આપણને જ કરડીશે. ઔરંગઝેબે પોતાના પિતાની હત્યા કરી, પોતાના પરિવારનો નાશ કર્યો, પોતાના ભાઈ અને પિતાની હત્યા કરી. જે લોકો પોતાના લોકો સાથે ઉભા નથી રહ્યા, તેઓ તમારી સાથે કેવી રીતે ઉભા રહેશે, આ વિશે વિચારો.