ભારત, ઇથિયોપિયા વચ્ચે ડિપ્લોમેટિક પાસપોર્ટ પર વિઝાની છૂટ

નવી દિલ્હીઃ ભારત અને ઇથિયોપિયા સરકારોએ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો માટે પરસ્પર વિઝા છૂટ (મ્યુચ્યુઅલ વિઝા વેવર) કરારને 15 જાન્યુઆરી, 2026થી અમલમાં મૂક્યો છે. આ કરાર હેઠળ હવે બંને દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા નાગરિકો વિસા વિના મુસાફરી કરી શકશે.

આ નિર્ણય ભારત અને ઇથિયોપિયા વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તેને કારણે બંને દેશો વચ્ચે કૂટનીતિક સંપર્ક અને સહયોગને વધુ મજબૂતી મળશે.

આ કરાર નવી દિલ્હી અને અડિસ અબાબા વચ્ચેની એવી ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી દૃઢ કરે છે, જે માત્ર ઐતિહાસિક જ નથી પરંતુ વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી પણ છે.

આ કરાર ડિસેમ્બર, 2025માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇથિયોપિયાની લીધેલી મુલાકાત બાદ અમલમાં આવ્યો છે. આ મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના વડા પ્રધાન ડો. અબી અહમદે બંને દેશોના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ને સ્તરે ઉજાગર કર્યા હતા. આ કરાર ભારત અને ઇથિયોપિયાની દક્ષિણ–દક્ષિણ સહયોગ અંગેની સંયુક્ત દ્રષ્ટિને દર્શાવે છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે.