નવી દિલ્હીઃ ભારત અને ઇથિયોપિયા સરકારોએ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો માટે પરસ્પર વિઝા છૂટ (મ્યુચ્યુઅલ વિઝા વેવર) કરારને 15 જાન્યુઆરી, 2026થી અમલમાં મૂક્યો છે. આ કરાર હેઠળ હવે બંને દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા નાગરિકો વિસા વિના મુસાફરી કરી શકશે.
આ નિર્ણય ભારત અને ઇથિયોપિયા વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તેને કારણે બંને દેશો વચ્ચે કૂટનીતિક સંપર્ક અને સહયોગને વધુ મજબૂતી મળશે.
Effective today, Jan 15 2026, the Agreement for Bilateral Visa Waiver for Diplomatic Passport holders between India and Ethiopia is operational. @MEAIndia @PMOIndia @narendramodi @AbiyAhmedAli @mfaethiopia @IndiaInEthiopia @EthioEmbassyInd @CPVIndia @MHAIndia @PIBHomeAffairs pic.twitter.com/zMXqIc3dkU
— India in Ethiopia (@IndiaInEthiopia) January 15, 2026
આ કરાર નવી દિલ્હી અને અડિસ અબાબા વચ્ચેની એવી ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી દૃઢ કરે છે, જે માત્ર ઐતિહાસિક જ નથી પરંતુ વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી પણ છે.
આ કરાર ડિસેમ્બર, 2025માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇથિયોપિયાની લીધેલી મુલાકાત બાદ અમલમાં આવ્યો છે. આ મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના વડા પ્રધાન ડો. અબી અહમદે બંને દેશોના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ને સ્તરે ઉજાગર કર્યા હતા. આ કરાર ભારત અને ઇથિયોપિયાની દક્ષિણ–દક્ષિણ સહયોગ અંગેની સંયુક્ત દ્રષ્ટિને દર્શાવે છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે.


