બિહારમાં ચૂંટણી પહેલાં ઊંચી જાતિના પંચની રચના કરાઈ

નવી દિલ્હીઃ બિહારની JDU-ભાજપ સરકારે એક મોટો નિર્ણય લેતા ઉચ્ચ જાતિઓના વિકાસ માટે એક પંચની રચના કરી છે. આ પંચના અધ્યક્ષ તરીકે મહાચંદ્ર પ્રસાદ સિંહની નિમણૂક કરવામાં આવી છે. મહાચંદ્ર પ્રસાદ સિંહ મૂળ બિહારના મુઝફ્ફરપુરના નિવાસી છે. તેમની નિમણૂક સંબંધિત નોટિફિકેશન પણ બિહાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

JDUના મુખ્ય પ્રવક્તા રાજીવ રંજનને આ પંચના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દયાનંદ રાય, જય કૃષ્ણ ઝા અને રાજકુમાર સિંહને પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પંચનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. બિહારમાં આવતા છ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને આ નિર્ણયને સામાન્ય જાતિના મતદાતાઓને લક્ષ્યમાં લઈને લેવામાં આવ્યો હોવાનું પગલું માનવામાં આવી રહ્યું છે.

બિહાર સરકારે રાજ્ય અનુસૂચિત જનજાતિ પંચમાં પણ મોટા ફેરફાર કર્યા છે. શૈલેન્દ્ર કુમારને પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે સુરેન્દ્ર ઉરાંવને ઉપાધ્યક્ષ તથા પ્રેમશિલા ગુપ્તા, તલ્લુ બાસ્કી અને રાજૂ કુમારને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ પણ ત્રણ વર્ષનો રહેશે.

CM નીતિશ કુમારે ગઈ કાલે અલ્પસંખ્યક પંચનું પુનર્ગઠન કર્યો હતો અને ગુલામ રસૂલ બલિયાવીને પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, ભાકપા, માકપા અને ભાકપા (માલે) સામેલ છે, જ્યારે NDA ગઠબંધનમાં ભાજપ, JDU, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા સામેલ છે.

બિહારની જાતિગત જનગણનાના આંકડાઓ મુજબ રાજ્યમાં સૌથી વધુ વસ્તી અતિ પછાત વર્ગની છે. અતિ પછાત વર્ગની વસ્તી 36.01 ટકા, પછાત વર્ગ 27.12 ટકા, અનુસૂચિત જાતિ 19.65 ટકા છે, અનુસૂચિત જનજાતિની વસ્તી 1.68 ટકા છે. જનગણના મુજબ સવર્ણોની વસ્તી 15.52 ટકા છે.