મુંબઈ: દર વર્ષે ઉડત અબીલ ગુલાલ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. જેને હવે 30 વર્ષ પૂર્ણ થયા અને તે 31 વર્ષમાં પ્રવેશ કરે છે. એ નિમિત્તે મુંબઈમાં ભવન્સ ચોપાટી ખાતે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈમાં ભવન્સ ચોપાટી ખાતે શનિવાર, 8મી માર્ચે સાંજે સાત વાગે ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેઘર ફાઉન્ડેશનના ઉપક્રમે ચતુર્બંદીમાં: સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિન સ્નેહલ મુઝુમદાર, ડૉ. મૈથિલી મુઝુમદાર, નારાયણ મણિ, કિરણ શિંદે અને સતીષ શેષાદ્રિ દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવશે. તાલ સંગત: તબલા, મૃદંગમ્, ચેન્દા અને ઘટમ્ પર સત્યપ્રકાશ મિશ્ર, સતીષ કૃષ્ણમુર્તિ, ચેતન શિંદે અને શક્તિધરણ કરશે. ત્યારબાદ નયનિકા ઘોષ કથક નૃત્યમાં હોરી રજુ કરશે.
અન્ય કાર્યક્રમની વાત કરીએ એટલે કે રવિવાર,9મી માર્ચે સાંજે સાડા છ વાગે અંધેરી-મુંબઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર, ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના ઉપક્રમે ઉપરોક્ત સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદી પછી ડૉ. મોનિકા શાહ હોરી, રસિયા અને ઠૂમરી રજુ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના અને આયોજનની સ્નેહલ મુઝુમદારની જવાબદારી રહેશે.
બન્ને કાર્યક્રમના સૂત્રધાર મિહિર શેઠ અને શૈલી મુઝુમદાર રહેશે. આ નિ:શુલ્ક કાર્યક્રમોમાં સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે, ઈચ્છુક દરેક વ્યક્તિ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.
