પાવાગઢમાં ગુડ્સ રોપવેનો તાર તૂટતાં દુર્ઘટના, 6 લોકોનાં મોત નિપજ્યા

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરી પર મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે વપરાતો રોપવે તૂટવાની ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

પંચમહાલમાં મોટી દુર્ઘટના ઘટી છે. પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે.


મળતી માહિતી અનુસાર, ગણેશ ચતુદર્શીના દિવસે એટલે કે આજે પાવાગઢમાં માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપ-વેનો તાર અચનાક તૂટી જતાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ સાથે જ તેમણે કાર્યવાહી હાથ ધરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી ત્યારે અચાનક રોપવેનો તાર તૂટ્યો અને દુર્ઘટના સર્જાઈ. ઘટનાસ્થળે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.