અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ત્રીજી યુએસ ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચી ગઈ છે. ત્રીજા બેચમાં 112 એનઆરઆઈનો સમાવેશ થાય છે. તેમના પરિવારના સભ્યો એરપોર્ટ પર આવવા લાગ્યા છે. ઉપરાંત, હરિયાણા સરકારે પણ પોતાના લોકોને લેવા માટે બસો મોકલી છે. 112 લોકોમાંથી 89 પુરુષો અને 23 મહિલાઓ છે જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. ગઈકાલે આવેલા વિમાનમાં 116 લોકો સવાર હતા. આ વખતે પણ બધાને સાંકળોમાં બાંધવામાં આવ્યા હતા. 5 ફેબ્રુઆરીના રોજ 104 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા.
STORY | Third US plane with 112 Indian deportees lands at Amritsar airport
READ: https://t.co/ZSyoPyLqJn https://t.co/pP1MEvnlqY
— Press Trust of India (@PTI_News) February 16, 2025
કયા રાજ્યમાંથી કેટલાને દેશનિકાલ કરવામાં આવ્યા?
- હરિયાણા – 44
- ગુજરાત – 33
- પંજાબ – 31
- ઉત્તર પ્રદેશ – 2
- હિમાચલ પ્રદેશ -1
- ઉત્તરાખંડ – 1
