આ ઉમેદવારો પોતાને ન આપી શક્યા મત

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ. આ વખતે ભાજપે 5, કોંગ્રેસે 5 આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાથી તેઓ પોતાને જ મત આપી શક્યા નથી. લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠકના બંને ઉમેદવાર આયાતી છે. પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એમ બંને હરીફોએ અમરેલીમાં મત આપ્યો.

ઉમેદવાર પક્ષ ક્યાં મતદાન કરશે? ક્યાંથી લડે છે?
મનસુખ માંડવિયા ભાજપ ભાવનગર પોરબંદર
હસમુખ પટેલ ભાજપ અમદાવાદ પશ્ચિમ અમદાવાદ-પૂર્વ
દિનેશ મકવાણા ભાજપ અમદાવાદ-પૂર્વ અમદાવાદ-પશ્ચિમ
મનસુખ વસાવા ભાજપ છોટાઉદેપુર ભરૂચ
પરશોત્તમ રૂપાલા ભાજપ અમરેલી રાજકોટ
ભરત મકવાણા કોંગ્રેસ આણંદ અમદાવાદ-પશ્ચિમ
સોનલ પટેલ કોંગ્રેસ અમદાવાદ-પશ્ચિમ ગાંધીનગર
પરેશ ધાનાણી કોંગ્રેસ અમરેલી રાજકોટ
ડૉ. તુષાર ચૌધરી કોંગ્રેસ બારડોલી સાબરકાંઠા
જશપાલ પઢીયાર કોંગ્રેસ છોટા ઉદેપુર વડોદરા

 

આ આયાતી ઉમેદવારોને મતદારોએ કેટલાં પસંદ કર્યાં છે તે તો 4 જૂને જ જાણવા મળશે.