ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની છે. એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી રહ્યું હતું અને થોડી જ વારમાં તે ક્રેશ થઈ ગયું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.
અકસ્માત સ્થળે ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતાં. બચાવ કામગીરી માટે બચાવ ટીમો પહોંચી ગઈ છે.એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હોય તેવી આ પહેલી ઘટના નથી. સ્વતંત્રતા પછી, આવા ઘણા વિમાન અકસ્માતો થયા છે જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરના કેટલાક મોટા વિમાન અકસ્માતો પર એક નજર કરીએ.
7 ઓગસ્ટ 2020 કોઝિકોડ વિમાન દુર્ઘટના
7 ઓગસ્ટ, 2020 ના રોજ, કેરળના કોઝિકોડ (કાલિકટ) માં એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં 17 લોકો અને ક્રુ મેમ્બર (બે પાયલટ સહિત)ના મોત થયા હતાં. જ્યારે કે 138 લોકો ઘાયલ થયા હતાં. રનવે પર અટકવામાં થયેલી નિષ્ફળતાને કારણે વિમાન 100 ફૂટ ઊંડી ખાડીમાં પડ્યું હતું. ઘટનામાં પ્લેનના ત્રણ ટુકડાં થઈ ગયા હતાં. ભારે વરસાદ અને ખરાબ વિઝિબિલિટીને કારણે વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
22 મે, 2010 મેંગલોરમાં વિમાન ક્રેશની ઘટના
22 મે 2010 ના રોજ કર્ણાટકના મેંગલોરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737-800 વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 158 લોકોનાં મોત થયા હતાં. વિમાનમાં 160 મુસાફરો અને ક્રુ મેમ્બર સવાર હતાં. દુર્ઘટનાનું કારણ રનવે ઓવરરન હોવાનું કહેવામાં આવ્યું હતું.
પટનામાં મોટી વિમાન દુર્ઘટના
બિહારની રાજધાની પટનામમાં 17 જૂલાઈ, 2000ના રોજ એલાયન્સ એયરનું બોઈંગ 737-2A8 વિમાન અકસ્માતનો ભોગ બન્યુ હતું. આ અકસ્માતમાં 56 લોકોના મોત થયા હતાં. જેમાંથી 51 લોકોના મૃતદેહો વિમાનમાં જ મળ્યા હતા અને 5 લાશ જમીન પર મળી આવી હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેન સરકારી નિવાસ કોલોની પર ક્રેશ થયું હતું.
1996માં ચરખી દાદરી મિડ-એર ક્રેશ
12 નવેમ્બર, 1996ના રોજ, હરિયાણાના ચરખી દાદરીમાં દિલ્હી નજીક બે વિમાનો અથડાયા હતા. એક વિમાન સાઉદી એરલાઇન્સ ફ્લાઇટ 763 હતું અને બીજું કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ 1907 હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 349 લોકોના મોત થયા હતા.આ ઇતિહાસની સૌથી ભયાનક મધ્ય-હવાઈ અથડામણ છે. આ અકસ્માત કઝાકિસ્તાનના પાયલોટની ભૂલને કારણે થયો હતો.
26 એપ્રિલ, 1993, ઔરંગાબાદ
ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 491 મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં દુર્ઘટનાનો ભાગ બની હતી. આ ઘટનામાં 55 લોકોનાં મોત થયાં હતાં. ટેકઑફ દરમિયાન રનવે પર ટ્રેક સાથે અથડામણને કારણે વિમાનનો અકસ્માત થયો હતો. પાયલટની ભૂલ અને ટ્રાફિક નિયંત્રણમાં ચૂક પણ દુર્ઘટનાનું એક કારણ હતું.
16 ઓગસ્ટ, 1991માં ઈમ્ફાલમા બન્યો હતો અકસ્માત
મણિપુરના ઈમ્ફાલમાં ઈન્ડિયન એયરલાયન્સ ફ્લાઈટ 257 સાથે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના ઈમ્ફાલ નજીક ઘટી હતી. જેમાં 69 લોકોનાં મોત થયા હતાં. દુર્ઘટના પાછળનું કારણ પાયલટની ભૂલને ગણાવવામાં આવ્યું હતું.
14 ફેબ્રુઆરી, 1990માં વિમાન દુર્ઘટના
વર્ષ 1990માં બેંગલોર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. ઈન્ડિયન એરલાયન્સ ફ્લાઈટ 605 પાયલટની ભૂલને કારણે 92 લોકોએ જીવ ગૂમાવ્યા હતાં.
1988માં અમદાવાદમાં વિમાન દુર્ઘટના
19 ઓક્ટોબર, 1988માં અમદાવાર એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ઘટી હતી. ઈન્ડિયન એયરલાયન્સ ફ્લાઈટ 113 પાયલટની ભૂલને કારણે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 130 લોકોના મોત થયા હતાં.
1 જાન્યુઆરી, 1978 મુંબઈ
બોમ્બેના દરિયા કિનારે બાન્દ્રામાં એર ઇન્ડિયા ફ્લાઇટ 855 અકસ્માતનો શિકાર બની હતી. વિમાનમાં સવાર તમામ 213 લોકોએ અકસ્માતમાં જીવ ગૂમાવ્યા હતાં. કોકપીટમાં સાધન નિષ્ફળતાને કારણે કેપ્ટનનું મૃત્યુ હતું.
12 ઓક્ટોબર, 1976
મુંબઈમાં ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 171 વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. જેમાં 95 લોકોએ જીવ ગૂમાવ્યાં હતાં. એન્જિન ફેલ થવાને કારણે વિમાનમાં આગ લાગી હતી.
