રોહિત શર્મા પર ફેટ શેમિંગ મામલો કેમ વકર્યો?

ભારતીય ક્રિકેટર અને ટીમને કેપ્ટન રોહત શર્મા પર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ વિવાદીત ટીપ્પણી કરી હતી. આ વિવાદનો પૂર્ણ થવાનો નામ જ નથી લઈ રહ્યો. એક બાજું ફેટ શેમિંગના આરોપ બાદ કોંગ્રેસ નેતા શમા મોહમ્મદને ચારેબાજુથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ શમાની ટીકા કરી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રીની ટીકા પર શમાએ પલટ વાર કર્યો છે. તેમણે ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતની એક જૂની ટ્વિટ સામે લાવીને ભાજપ અને મંત્રી માંડવિયાથી સવાલ પૂછ્યા છે.

વાત આખી એમ છે કે 2021માં ખેડૂત આંદોલન દરમિયાન જ્યારે રોહિત શર્માએ ખેડૂતોના પ્રશ્નને મહત્વનું ગણાવતાં સમાધાન કાઢવાની અપીલ કરી હતી, ત્યારે કંગના રણૌતે તેની પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે ટ્વીટ પર નીશાન ટાંકતા કેન્દ્રીય રમત ગમતના મંત્રી માંડવિયાજી પર આકરા પ્રશ્નો કર્યા હતા. શમા મોહમ્મદે કંગના રણૌતની એક જૂની ટ્વિટનો સ્ક્રીનશોટ એક્સ પર શેર કરતાં લખ્યું, ‘માંડવિયાજી, હવે કંગના રણૌત વિશે શું કહેશો?’ હવે શમા મોહમ્મદે સવાલ ઉઠાવ્યો છે કે તે સમયે ભાજપ નેતાઓએ કંગના રણૌત વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ ના કરી?

સોમવારે કેન્દ્રીય રમત-ગમત મંત્રી માંડવિયાએ શમા મોહમ્મદની ટિપ્પણીની નિંદા કરતાં તેને ગંભીર રીતે શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી. શમા મોહમ્મદે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘રોહિત શર્મા એક ખેલાડીના હિસાબે જાડા છે. તેમને વજન ઓછું કરવાની જરૂર છે અને તે ભારતના સૌથી નિરાશાજનક કેપ્ટન છે. તેમનામાં એવું શું વિશ્વસ્તરીય છે જે તેમના પૂર્વના ખેલાડીઓ કરતાં શ્રેષ્ઠ છે? તે એક સાધારણ કેપ્ટન અને સરેરાશ ખેલાડી છે, જે માત્ર નસીબથી ભારતીય ટીમના કેપ્ટન બન્યા છે.’