બિહારમાં SIR મુદ્દે કોર્ટે ચૂંટણી પંચને આપી ‘સુપ્રીમ’ ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું કે ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સત્તા હેઠળ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ વ્યાપક પુનર્મૂલ્યાંકન (Special Intensive Revision – SIR) દરમ્યાન કાયદાનું સંપૂર્ણ પાલન કરી રહ્યું છે. કોર્ટે આ પ્રક્રિયાની કાનૂની માન્યતા સ્વીકારીને જણાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરતા મળી આવશે, તો તે પ્રક્રિયાને રદ કરવામાં કોર્ટ કોઈ સંકોચ નહીં કરે.

 7 ઓક્ટોબરે અંતિમ દલીલ

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની ખંડપીઠે બિહાર SIRની કાનૂની માન્યતા અંગેની અંતિમ દલીલો સાંભળવા માટે સાત ઓક્ટોબર નક્કી કરી છે. ખંડપીઠે આ મામલે “ટુકડાઓમાં અભિપ્રાય” આપવા પરથી સ્પષ્ટ ઈનકાર કરતાં કહ્યું હતું કે તેમનો નિર્ણય દેશમાં SIR પ્રક્રિયા પર લાગુ પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એ ચૂંટણી પંચને દેશના અન્ય ભાગોમાં મતદાર યાદીની સુધારણા માટે આવી જ પ્રક્રિયા અપનાવાથી રોકી શકતું નથી.

એક અરજી પર નોટિસ

કોર્ટે 8 સપ્ટેમ્બરે ટોચની અદાલતના તે આદેશને પાછો ખેંચવા વિનંતી કરતી અરજી પર નોટિસ જારી કરી, જેમાં ચૂંટણી પંચને બિહાર SIRમાં 12મા નક્કી કરેલા દસ્તાવેજ તરીકે આધાર કાર્ડને સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આધાર કાર્ડ નાગરિકત્વનો પુરાવો નહીં ગણાય, પરંતુ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પંચ દ્વારા રજૂ કરાયેલા આધાર કાર્ડની વાસ્તવિકતાની તપાસ કરી શકાય છે.

અંતિમ સુનાવણીની આટ ઓક્ટોબર નક્કી

બિહાર SIRની કાનૂની માન્યતા પર અંતિમ દલીલો માટે સુપ્રીમ કોર્ટે સાત ઓક્ટોબર 2025ની તારીખ નક્કી કરી છે. ગયા સોમવારે એટલે કે 8 સપ્ટેમ્બર 2025એ આદેશ અપાયો હતો કે SIRની પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે જરૂરી 11 દસ્તાવેજો ઉપરાંત આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સામેલ કરવામાં આવે.