ભારત-પાકિસ્તાન તણાવને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 8 મે, 2025ના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ રદ કરી હતી. બીજા દિવસે, 9 મેના રોજ, BCCIએ IPL 2025ની બાકીની મેચો એક અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી. હવે 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ રહી છે, પરંતુ અનેક વિદેશી ખેલાડીઓ અનુપલબ્ધ હોવાથી BCCIએ રિપ્લેસમેન્ટ નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે.
22 માર્ચથી શરૂ થયેલી IPLની 18મી સિઝન 9 મેના રોજ સ્થગિત થઈ હતી, જેના કારણે મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતાના દેશોમાં પરત ફર્યા. 12 મેના રોજ BCCIએ નવું શેડ્યૂલ જાહેર કર્યું, જે મુજબ ટુર્નામેન્ટ 17 મે થી 3 જૂન સુધી ચાલશે. જોકે, કેટલાક વિદેશી ખેલાડીઓ પરત ફરવા તૈયાર નથી, અને અન્ય રાષ્ટ્રીય ફરજોને કારણે ઉપલબ્ધ નથી.
BCCIએ હવે તમામ ફ્રેન્ચાઇઝીઝને અસ્થાયી રિપ્લેસમેન્ટ ખેલાડીઓ સાઇન કરવાની મંજૂરી આપી છે. સામાન્ય રીતે, IPL નિયમો અનુસાર, 12 લીગ મેચ પછી ઈજા કે અન્ય કારણોસર ખેલાડી બહાર હોય તો રિપ્લેસમેન્ટની મંજૂરી નથી. પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને BCCIએ આ નિયમ હળવો કર્યો છે. જોકે, રિપ્લેસમેન્ટ ખેલાડીઓ માત્ર આ સિઝન માટે જ રમી શકશે અને આગામી સિઝન માટે રિટેન નહીં થઈ શકે
