ફાઈનલ પહેલા સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

બાર્બાડોસમાં શનિવારે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો ભારત સામે થશે. વિરાટ કોહલીનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. વિરાટે અત્યાર સુધી સાત ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા છે. વર્લ્ડ કપ ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં તેના સમાવેશને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોહલીના ફોર્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

સચિન અને રાહુલ દ્રવિડની શ્રેણીમાં રાખવામાં આવ્યા

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખે તો ત્યાં સુધી કહ્યું કે કોહલી ભારતના દિગ્ગજ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની શ્રેણીમાં આવે છે અને તેમને આશા હતી કે ઓપનર કેન્સિંગ્ટન ઓવલ ખાતે યોજાનારી ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમશે. સૌરવ ગાંગુલીએ આ માટે ગયા વર્ષે રમાયેલા ODI વર્લ્ડ કપનો ઉલ્લેખ કર્યો હતો.

રોહિત શર્માએ પણ કોહલીનો બચાવ કર્યો

આ પહેલા ગુરુવારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કોહલીનો બચાવ કર્યો હતો. જ્યારે તે રીસ ટોપલીના બોલ પર આઉટ થતા પહેલા ઈંગ્લેન્ડ સામે માત્ર 9 રન બનાવી શક્યો હતો.