BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને એઈમ્સના જેરીયાટ્રિક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.