જયપુર ટેન્કર અકસ્માત પર રાજસ્થાન હાઈકોર્ટ આકરાપાણીએ

580

ઉચ્ચ સ્તરે સુરક્ષા પગલાંની સમીક્ષા કરવામાં આવી રહી છે. સીએમ ભજનલાલ શર્માએ શનિવારે અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. જયપુર પોલીસ કમિશનરે અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે SITની રચના કરી છે. આ સાથે જ સીએમ ભજનલાલ શર્માએ પણ આજે મુખ્યમંત્રી આવાસ પર માર્ગ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માત નિયંત્રણ માટે અધિકારીઓ સાથે બેઠક કરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે દરેકને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.