AMA ખાતે SOUL દ્રારા ઇમર્જિંગ પરસ્પેકટીવસ ઑન ઇન્ડિક લીડરશીપ” વિષય પર પેનલ ડિસ્કશન 

અમદાવાદ: એ.એમ.એ.ના સહયોગથી સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્રારા ‘સંવાદ’ – ઇમર્જિંગ પરસ્પેકટીવસ ઑન ઇન્ડિક લીડરશીપ” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એ.એમ.એ. આગામી ૨૫મી ઓક્ટોબરના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી યોજાશે.આ પેનલ ડિસ્કશનમાં ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ (મેમ્બર એચ.આર., કેપેસિટી બિલ્ડીંગ કમિશન અને ‘પાવર વિધ ઇન: ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી’ પુસ્તકનાં લેખક); ડો. હસમુખ અઢિયા (ભારત સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ અને ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર); અને શ્રી જક્ષય શાહ (સેવી ગ્રુપના સ્થાપક અને સી.એમ.ડી. અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન) આ વિષય પર સંબોધન કરશે.

પેનલ ડિસ્કશનનું સંચાલન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રો. નિહારિકા વોહરા કરશે. પેનલ ડિસ્કશન ભારતીય સંદર્ભમાં નેતૃત્વ પર મૂલ્યવાન પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે. આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે. આથી રસ ધરાવતા વ્યક્તિઓ તેમાં વિના મૂલ્યે ભાગ લઈ શકશે.