અયોધ્યા દીપોત્સવ 2023: શાનદાર..અદ્દભૂત..અલૌકિક નજારો, ફરી રેકોર્ડ બનાવ્યો

દિવાળી પર્વ નિમિત્તે અયોધ્યાના સરયુ ઘાટ ખાતે દીપોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી, સંતો અને સામાન્ય જનતા સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

 

અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ ઉજવાયો

અયોધ્યાના સરયુ ઘાટ ખાતે આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સરયૂ નદીના ઘાટો પર 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા છે. જે બાદ ફરી એકવાર સરયૂ ઘાટ પર રેકોર્ડ બન્યો છે. આ ઉપરાંત રેઝર શો અને આતશબાજી પણ કરવામાં આવી હતી.

સરયુ નદી પર લેસર શોનું આયોજન

સરયુ નદી પર દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન અહીં લેસર શો દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીએમ યોગીએ સરયૂ નદીના ઘાટ પર આરતી કરી

અયોધ્યામાં સરયૂ નદીના ઘાટ પર દીપોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાટ પર આરતી કરી હતી. લાખો દીવાઓથી ઘાટ ઝળહળી ઉઠ્યો હતો.