આતંકવાદી હુમલાના પીડિતો સાથે NSEની સંવેદના

મુંબઈઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા (NSE) સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને મૃતકોના પરિવારોને સહાયરૂપ થવા માટે કુલ રૂ. એક કરોડ (અંદાજે દરેક પરિવારને રૂ. 4 લાખ) સહાયની જાહેરાત કરી છે. દેશ માટે આ દુ:ખદ અને સંકટના સમયે NSE સહાનુભૂતિ અને સહયોગ સાથે ઊભું છે.

NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આ સમય આપણા દેશ માટે સામૂહિક શોકનો સમય છે. અમારી પ્રાર્થનાઓ અને સંવેદના પીડિતોના પરિવારજનો સાથે છે અને અમે તેમને શક્ય તેટલી મદદ પહોંચાડવા પ્રયત્નશીલ છીએ, એમ તેમણે કહ્યું હતું.