દિલ્હીના મતદારો માટે આ કલંક ધોવાનો સમયઃકુમાર વિશ્વાસ

નવી દિલ્હીઃ  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો હતો. તેમણે લોકોને સીધી નહીં પણ આડકતરી તરીકે  કેજરીવાલ સરકારની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે  કેજરીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે  આ સમય કલંક ધોવાનો છે.

કુમાર વિશ્વાસે લખ્યું હતું કે ઓ દિલ્હીવાસીઓ આ સમય કલંક ધોવાનો છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મતના અધિકારથી સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા અને વિશ્વાસની હત્યા કરવાવાને ધ્વસ્ત કરવાનો સમય આવી ગયો છએ. તેમણે લોકોને મતદાનની હાકલ કરતાં કહ્યું હતું કે બતાવી દો કે બનાવી શકો છો તો અહંકારી શિશુપાલોને મિટાવી પણ શકો છો. કુમાર વિશ્વાસ ભાજપમાં જોડાવાના અહેવાલ હતા, પણ તેમણે ખુદ આ વાતનું ખંડન કર્યું હતું.