દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.50 લાખને પાર

નવી દિલ્હીઃ વિશ્વના દેશોની સાથે-સાથે દેશમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના તાજા જારી થયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,51,767 થઈ ગઈ છે. જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી 4337 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6387 નવા કેસ નોંધાયા છે અને 170 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી 64,426 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 42.45 ટકાએ પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ 55,000ની નજીક

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસથી 97 લોકોનાં મોત થયાં છે અને 2091 નવા કેસ સામે આવ્યા છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આમાં 39 મોત એકલા મુંબઈમાં થયાં છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19થી થનારાં મોતની સંખ્યા વધીને 1792 થઈ ગઈ છે. જ્યારે આ વાઇરસના કુસ કેસોની સંખ્યા 54,758 થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે 97 મોતોમાંથી 35 મોત છેલ્લાં બે દિવસોમાં થયાં છે. જ્યારે 62 મોત 17 એપ્રિલથી 23 મે દરમ્યાન થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.