ભગવદ્ ગીતાએ વિશ્વભરની મશહૂર હસ્તીઓને પ્રભાવિત કર્યા

આજે ગીતા જયંતી છે. ભગવદ્ ગીતા ભારતના મહાન મહાકાવ્ય મહાભારતનો એક નાનકડો હિસ્સો છે. ગીતા જયંતી દર વર્ષે માગસર માસની અગિયારસે આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજે મહાભારત યુદ્ધમાં અર્જુનને કહી હતી. ગીતામાં માનવ જીવનના સારનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ગીતામાં આશરે 1,10,000 છંદો કહેવામાં આવ્યા છે. મહાભારતના વિશ્વના મહાકાવ્યના ગ્રાંથો કરતાં સાત ગણું મોટું છે અને બાઇબલ કરતાં ત્રણ ગણું મોટું છે. ભગવદ ગીતાએ પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધના પ્રારંભ પહેલાં કહેવામાં આવી હતી. અર્જુનના સારથિ શ્રીકૃષ્ણએ યુદ્ધ માટે તેની ફરજથી વાકેફ કર્યો હતો.

ભગવદ ગીતા વિશ્વભરના લાખ્ખો લોકો માટે પ્રેરણાસ્રોત છે. ગીતા મૂળ સંસ્કૃતમાં લખાયેલી છે અને એના 700 શ્લોકો છે. ગીતાએ લોકોને સાચા અને ખોટાનો ભેદ જણાવવા ઉપરાંત જીવનને કેવી રીતે યોગ્ય રીતે જીવવું એ સમજ આપતો ગ્રંથ છે. શ્રીકૃષ્ણએ અર્જુનને આજથી 5159 વર્ષ પહેલાં એકાદશીને દિવસે જ્ઞાન આપ્યું હતું. ગીતા હિન્દુ ગ્રંથો પૈકીનો એક છે. વિશ્વની અનેક પ્રતિભાઓએ ગીતામાંથી શીખ મેળવી છે. વળી, એનો 80થી વધુ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. ગીતાનો પ્રભાવ સરહદ વટાવીને અનેક દેશોમાં પડ્યો છે. ગીતા દાર્શનિક વિચારવિમર્શનો મુખ્ય મુદ્દો છે.

રસપ્રદ વાત એ છે કે ગીતા ત્યારે હ્દયસ્પર્શી બની જાય છે, જ્યારે લોકો માટે કેટલીક બાબતો અશક્ય હોય છે. અનેક પ્રસિદ્ધ હસ્તીઓએ કહ્યું છે કે ગીતાએ તેમનું જીવન બદલી નાખ્યું છે. આલબર્ટ આઇનસ્ટાઇન, સુનીતા વિલિયમ્સ અને એની બેસન્ટ જેવી હસ્તીઓએ તેમાંથી પ્રેરણા લીધી છે.