હવે સોનિયા ગાંધીની આ તપાસ સમિતિ કરશે જેએનયૂ હુમલાની તપાસ

નવી દિલ્હીઃ જેએનયૂમાં હુમલાને લઈને સર્જાયેલો વિવાદ સતત વધી રહ્યો છે. વિપક્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલાની સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઘટના પર રાજનનીતિ કરી રહ્યું છે. જેએનયૂ વિદ્યાર્થીઓ પર થયેલા આ હુમલાને લઈને સોનિયા ગાંધીએ હવે ચાર સભ્યોની એક ટીમ બનાવી છે.

હુમલા બાદ જેએનયૂ ગેટ પર પહોંચેલા કોંગ્રેસના પ્રવક્તા ઉદિત રાજનો આરોપ છે કે ભાજપના સ્થાનીય નેતા ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે. ઉદિત રાજે કહ્યું કે, હું 9 વાગ્યે જેએનયૂ ગેટ પર પહોંચી ગયો હતો. મેં ત્યાં જોયું કે ભાજપ નેતાઓના નેતૃત્વમાં આશરે દોઢસો લોકો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. વામપંથી ગુંડાઓને ગોળી મારો-જે પરિસ્થિતિમાં જેએનયૂ વિદ્યાર્થીઓ પર હુમલો થયો તેને લઈને લેફ્ટ નેતાઓના પણ સવાલ છે.

સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર જે હુમલો થયો છે તેની તપાસ હાઈએસ્ટ લેવલ પર કરવામાં આવવી જોઈએ, ભલે જ્યુડિશિયલ ઈન્કવાયરી હોય કે પછી કોઈ અન્ય ઉચ્ચસ્તરીય તપાસ. ભાજપે વિપક્ષ પર આ મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.