JNU હિંસામાં જખ્મી થયેલી એશી ઘોષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે રવિવારના રોજ સાંજે જેએનયૂમાં થયેલી હિંસાથી એક દિવસ પહેલા યુનિવર્સિટીના સર્વર રુમમાં કથિત રુપથી તોડફોડ કરવા મામલે જેએનયૂ છાત્રસંઘ અધ્યક્ષ એશી ઘોષ અને 19 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 3 જાન્યુઆરીના મામલે પણ એક એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ તેમાં ઘોષનું નામ નથી. જ્યારે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા છે. 4 જાન્યુઆરીના રોજ મારપીટ અને સર્વર રુમ તોડવાની એફઆઈઆર છે જેમાં એશી ઘોષ અને તેમના 7-8 સાથીદારોના નામ છે. આ બંન્ને એફઆઈઆર જેએનયૂ પ્રશાસન તરફથી નોંધાવવામાં આવી હતી. જેએનયૂમાં હિંસામાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 34 લોકો ઘાયલ થયા હતા. આ હિંસામાં એશી ઘોષને માથામાં ઈજા પહોંચી હતી.

તો બીજી બાજુ હાથોમાં ટેમ્બોરિન અને ગિટાર લઈને તેમજ ક્રાંતિના ગીત ગાતા પ્રદર્શનકારીઓ જેએનયૂમાં થયેલા હુમલાના વિરોધમાં ગેટવે એફ ઈન્ડિયા અને તાજ મહેલ પેલેસ હોટલ બહાર આખી રાત પ્રદર્શન કર્યું. પોલીસે જણાવ્યું કે જ્યારે પ્રદર્શનકારીઓને ગેટવે ઓફ ઈન્ડિયાથી હટાવીને આઝાદ મેદાન મોકલી દેવામાં આવ્યા છે. રવિવારના રોજ અડધી રાત્રે દક્ષિણ મુંબઈના કોલાબામાં ગેટવે ઓફ ઈન્ડિયા સામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા. બાદમાં અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર અને વિશાલ દદલાણી જેવી બોલીવુડ હસ્તીઓ પણ અહીંયા પહોંચી.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારની રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી લેસ કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી દીધો હતો અને પરિસરમાં સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસનને પોલીસને બોલાવી હતી.