ગામોએ ‘બે ગજના અંતર’નો સંદેશ આપ્યોઃ મોદી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસે દેશની ગ્રામ પંચાયતોના પ્રમુખોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે 31 લાખ ગ્રામ પંચાયતી પ્રમુખો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પંચાયતી રાજ દિવસના અવસરે વડા પ્રધાને નવી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપની શરૂઆત કરી હતી. આ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા, એનાથી સંકળાયેલી માહિતી એક જગ્યાએ એકત્ર રહેશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના સંકટથી આપણે બધાને એક બોધપાઠ મળે છે કે આપણે બધાએ હવે આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે. તેમણે દેશના વિકાસમાં પંચાયતોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગ્રામ પંચાયતોની તુલના કોરોના વોરિયર્સથી કરી હતી.

તેમણે પોતાના સંબોધનમાં વડા પ્રધાન કહ્યું હતું કે કોરોના સંકટની વચ્ચે ગ્રામવાસીઓએ વિશ્વને મોટો સંદેશ આપ્યો કે ગ્રામવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં બલકે બે ગજનું અંતરનો સંદેશ આપ્યો, જેણે કમાલ કર્યો.

સ્વામિત્વ યોજનાથી મળશે લાભ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પાંચ-છ વર્ષ પહેલાં દેશની માત્ર 100 પંચાયત બ્રોડબેન્ડથી જોડાયેલી હતી, પણ આજે સવા લાખ પંચાયતો સુધી આ સુવિધા પહોંચી ગઈ છે. વડા પ્રધાને જે વેબસાઇટને શરૂ કરી હતી, એના દ્વારા ગામ સુધીની માહિતી અને મદદ પહોંચવામાં ઝડપ આવશે.

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતોના પ્રમુખો સાથે વાતચીત કરી એના મુખ્ય અંશોં નીચે મુજબ છે.

  • કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમર વડા પ્રધાન મોદીની સરપંચોની ચર્ચામાં હાજર રહ્યા હતા.
  • વડા પ્રધાન મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલનું ઉદઘાટન કર્યું
  • PMએ સન્માન અને અવોર્ડ મેળવનારા સરંપચોને અભિનંદન આપ્યાં હતાં
  • કોરોના રોગચાળાએ આપણું જીવન અને કામ કરવાની પદ્ધતિને બદલી નાખી છે
  • આ રોગચાળાએ વિવિધ મુશ્કેલીઓ સર્જી છે અને સાથે શિક્ષા પણ આપી છે.
  • આ રોગચાળાએ આપણને આત્મનિર્ભર બનવાનું શીખવ્યું છે, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે આત્મનિર્ભર બનો.
  • ગામોમાં કોમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ ત્રણ લાખને પાર થઈ ચૂકી છે.
  • શહેરમાં વસતા ગ્રામવાસીઓને બહુ મુશ્કેલીઓ આવી છે.
  • કોરોના એક વિચિત્ર વાઇરસ છે, પણ એ ખુદ કોઈના ઘરે નથી આવતો, એટલે બે ગજની દૂરીનું પાલન કરવું ખૂબ આવશ્યક છે.
  • પહેલાં દિલ્હીથી એક રૂપિયો મોકલાતાં ગામો સુધી 15 પૈસા પહોંચતા હતા, પણ હવે પૂરેપૂરા 100 પૈસા પહોંચી રહ્યા છે.
  • ગ્રામ પંચાયતો અમારી લોકતંત્રની શક્તિ એકજૂટ કેન્દ્ર છે.
  • દેશને આર્તમનિર્ભર બનાવવાની શરૂઆત, ગામની સામૂહિક શક્તિથી થશે. આ પ્રયાસોની વચ્ચે આપણે યાદ રાખવાનું છે કે એક જણની બેદરકારી પૂરા ગામને જોખમમાં મૂકી શકે છે એટલે આમાં ઢીલ આપવાની થોડી પણ ગુંજાશ નથી.
  • ગામોમાં સેનિટાઇઝેશન અભિયાન થાય, શહેરોથી આવનારા લોકો માટે ક્વોરોન્ટાઇન સેન્ટર બનાવવાનું કામ થાય. દરેક વ્યક્તિની ખાણીપીણી અને જરૂરિયાતોની ચિંતા હોય. આ કામ આપણે નિરંતર થયા કરે, વગર થાકે કરવાનું છે.
  • આપણે શારીરિક અંતર, મોઢા પર માસ્ક અને હાથોને વારંવાર સ્વચ્છ કરવાના છે, હાલ આ બીમારીથી બચવા માટે આ સૌથી મોટી દવા છે.
  • આપણે ગામેગામ ખેડૂતોને સમજાવવાના છે કે યુરિયાનો ઉપયોગ ઓછો કરે, કેમ કે એનાથી માટી અને પાણી પર વિપરીત અસર પડે છે.
  • આપણે બહુ ગંભીરતાથી પ્રયાસ કરવાના છે કે ગામના ગરીબને ઉત્તમ આરોગ્યની સેવા મળે. આના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના પણ ગામના ગરીબો માટે બહુ રાહત બનીને ઊભરી છે. આના હેઠળ અત્યાર સુધી એક કરોડ ગરીબ દર્દીઓ હોસ્પિટલોમાંથી મફત સારવાર કરાવી ચૂક્યા છે.

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણ બધાના સામૂહિક પ્રયાસોથી, એકજૂટતાથી આપણી સંકલ્પશક્તિથી કોરોનાને જરૂર હરાવી શકીશું.