મુંબઈમાં 31 માર્ચ સુધી સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો બંધ

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો હાલ ભારતમાં ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે રેલવે વહીવટીતંત્રએ આજે રાતે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 22 માર્ચના રવિવારે મધરાતે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી સામાન્ય જનતાને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા પર મનાઈ ફરમાવી દીધી છે.

માત્ર આવશ્યક સેવાઓ માટેના કર્મચારીઓ અને તબીબી ઈમર્જન્સીવાળાઓને જ પ્રવાસ કરવા દેવાશે.

22 માર્ચના રવિવારથી મુંબઈમાં બોર્ડિંગ સ્ટેશનો પર પ્રવાસીનું આઈડેન્ટિટિટી કાર્ડ ચેક કરવામાં આવશે.

કોંકણ ડિવિઝનલ કમિશનરે આજે સત્તાવાર નિવેદન બહાર પાડીને મુંબઈમાં લોકલ ટ્રેનો વિશેના નવા નિયમોની જાણકારી આપી હતી.

એમણે જણાવ્યું છે કે લોકલ ટ્રેનોમાં માત્ર પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો કે સફાઈ કર્મચારીઓને જ પ્રવાસ કરવા દેવામાં આવશે. જે લોકો આવતીકાલથી લોકલ ટ્રેનમાં સફર કરે એમણે પોતાનું આઈકાર્ડ બતાવવું પડશે.