આંશિક રાહત સાથેનું લોકડાઉન પાર્ટ ટૂ આવું હશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે વડા પ્રધાને દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કર્યું હતું, જે આવતી કાલે પૂરું થઈ રહ્યું છે. જોકે કોરોના વાઇરસનું જોખમ હજી સુધી ગયું નથી. વધારામાં અત્યાર સુધી આની હજી સુધી કોઈ દવા કે વેક્સિન પણ શોધાઈ નથી. જેથી લોકડાઉન હજી 30 એપ્રિલ સુધી વધવાની શક્યતા છે. દેશમાં કેટલાક રાજ્યોએ તો લોકડાઉન વધારવાની જાહેરાત પણ કરી દીધી છે. જોકે કેટલીક રાજ્ય સરકારો પછી વડા પ્રધાન મોદી આજે અથવા કાલે લોકડાઉન વધારવાની મુદતમાં વધારાની જાહેરાત કરે એવી સંભાવના છે. જોકે લોકડાઉન પાર્ટ ટૂ કંઈક અલગ હશે. કંઈક આંશિક હશે.

લોકડાઉન પાર્ટ ટૂમાં સરકારની સામે કોરોનાને વધુ ફેલાતો અટકાવવાની સાથે અર્થતંત્રને ચલાવવાની જવાબદૈરી છે. આવામાં સરકાર કૃષિની સાથે-સાથે કારખાનાં અને માલના ટ્રાન્સપોર્ટમાં રાહત આપે એવી શક્યતા છે. લોકડાઉન સહિતના પ્રતિબંધો એવા વિસ્તારોમાં હશે જ્યાં કોરોનાના કેસો વધુ હશે. એનો અર્સથ કે હોટસ્પોટ વિસ્તારોમાં નિયમોનું સખતાઈથી પાલન કરવામાં આવશે. આવો જાણીએ ક્યાં લોકડાઉન પર રાહત મળી શકે છે, ક્યાં નહીં…

સરકાર અર્થતંત્ર ફરી પાટે ચડાવવા માગે છે

દેશમાંમ 21 દિવસના લોકડાઉનને વિશ્વની સાથે દેશને પણ ભારે નુકસાન થયું છે.મુખ્ય પ્રધાનોની બેઠકમાં વડા પ્રધાન મોદીએ આનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારની આવકમાં પાછલા મહિને 50થી 75 ટકા નું નુકસાન થયું છે.

કૃષિ અને ખેડૂતોને રાહત

લોકડાઉન પાર્ટ ટૂમાં ખેડૂતોને રાહત જારી રહેશે. આ પાર્ટ ટૂ લોકડાઉનમાં સરકાર ખેતરોની ઊપજ અને ખરીદીમાં કોઈ પણ મુશ્કેલી ના થાય એ જોશે. સરકાર રેડ અને ઓરેન્જ ઝોનમાં શાકભાજી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે. એટલે કે શાકકભાજીની અછત નહીં સર્જાય. મત્સ્ય ઉદ્યોગને પણ રાહત મળશે.

કારખાનાં બંધ કરીને મજૂરો કામ કરશે?

અર્થતંત્ર અને કામદારોની સ્થિતિમાં સુધારો કરવા માટે નાના અનમે મધ્યમ ઉદ્યોગોમાં આંશિક છૂછાટ આપશે. આવામાં વડા પ્રધાનને સૂચન કરવામાં આવ્યું છે કે ફેકટરીમાં મજૂર અંદર રહીને કામ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં કામ કરે, ત્યાં જ રહે અને ઘરે ના જાય. આ કારખાનોમાં કામ કરતા વધુમાં વધુ લોકો કેમ્પમાં રહી રહ્યા છે. આ લોકોને સ્પેશિયલ ટ્રેન અને બસની મદદથી ફેકટરી સુધી પહોંચાડાશે. જોકે આવા કારખાનાંઓની ઓળખ થઈ રહી છે. એપ્રિલ મહિનામાં આ રીતે કામ કરાવવામાં આવશે.

છ રાજ્યોએ લોકડાઉન વધાર્યું

દેશમાં છ બિનભાજપી રાજ્યો (દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા) પહેલાં જ લોકડાઉનને એપ્રિલ મહિના સુધી વધારી ચૂક્યા છે. ભાજપનાં રાજ્યો પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

કઈ ક્ષેત્રની કંપનીઓમાં લોકડાઉન ખોલાશે

ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિક સામાન બનાવતી કંપની. હાઉસિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર, રસ્તાના ડામર બનાવતી કંપનીઓ, મોબાઇલ, ઇલેક્ટ્રિક રિપેરની દુકાનો. ધોબી, મોચી, પ્રેસ સંબંધિત કામને મંજૂરી મળશે.

આ શહેરોને છૂટ મળવી મુશ્કેલ

મેટ્રો શહેરોમાં લોકડાઉનની છૂટ મળવી મુશ્કેલ છે. જેમાં દિલ્હી, મુંબઈ, ઇન્દોર, ગુડગાંવ, ભોપાલ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, બેન્ગલુરુમાં કોરોનાના કેસ હજી સામે આવી રહ્યા છે. એટલા માટે અહીં નવી છૂટ મળવી મુશ્કેલ છે.