63 દિવસ પછી એક લાખથી ઓછા નવા કેસ

 નવી દિલ્હીઃ બે મહિનાથી વધુ સમય પછી દેશમાં કોરોના સંક્રમણના એક લાખથી ઓછા નવા કેસો નોંધાયા છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 86,498 નવા કેસ સામે આવ્યા છે. 63 દિવસોમાં દૈનિક ધોરણે આટલા ઓછા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2123 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,89,96,473 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,51,309 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,73,41,462  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,82,282 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 13,03,702એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

આરોગ્ય મંત્રાલય જણાવ્યાનુસાર અત્યાર સુધી દેશમાં 36.8 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે.

દેશમાં 23.61 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 23,61,98,726 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,64,476 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.