લેબર ડેઃ એનો ઇતિહાસ, મહત્ત્વ અને એને કેમ ઊજવવામાં આવે છે? જાણો…

નવી દિલ્હીઃ મજૂરો અને શ્રમિકોની ઉપલબ્ધિઓનું સન્માન કરવા અને તેમને તેમના અધિકારો પ્રત્યે જાગરુક કરીને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વમાં પ્રતિ વર્ષે પહેલી મેએ આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ઊજવવામાં આવે છે. એની ઉત્પત્તિ અમેરિકામાં શ્રમિક સંઘના આંદોલનમાં થઈ હતી, જેમણે એક દિવસમાં આઠ કલાક કામને લઈને આંદોલન શરૂ કર્યું હતું.

મજૂર દિવસનનો ઇતિહાસ અને મહત્ત્વ

ન્યુ યોર્કમાં શ્રમ દિવસને માન્યતાઆપનારું બિલ રજૂ કરનારું પહેલું રાજ્ય હતું, જ્યારે ઓરેગન 21 ફેબ્રુઆરી, 1887એ એના પર કાયદો પસાર કરનારું પહેલું રાજ્ય હતું. ત્યાર બાદ 1889માં માર્કસવાદી આંતરરાષ્ટ્રી સમાજવાદી કોંગ્રેસો ઓક પ્રસ્તાવ સ્વીકાર્યો હતો, જેમાં તેમણે માગ કરી હતી કે શ્રમિ પાસેથી દિવસમાં આઠ કલાકથી વધુ કામ ના કરાવવામાં આવે. એ સાથે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પહેલી મેએ લેબર ડેએ રજા જાહેર કરવામાં આવે.

 ભારતમાં લેબર ડેની ઉજવણી

ભારતે ચેન્નઈમાં પહેલી મે, 1923માં લેબર ડે ઊજવવાનું શરૂ કર્યું હતું. ભારતમાં એને કામગાર દિવસ, કામગાર દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લેબર કિશાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા ઊજવવામાં આવ્યો હતો. શ્રમ કે મે દિવસ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમાં કામગાર દિન (હિન્દી), કર્મિકાર દિનચારણે (કન્નડ), કર્મિકા દિનોત્સવ (તેલુગુ) કામગાર દિવસ (મરાઠી) ઉઝિપલાર દિનમ (તમિળ), ધોઝિલાલી નમ (મલયાલમ) સામેલ છે અને શ્રોમિક દિબોશ (બંગાળી)માં ઊજવવામાં આવે છે.