વિપક્ષી એકતાની પહેલમાં અખિલેશ, માયા-મમતા પલીતો ચાંપશે

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં નીતીશકુમારની પહેલ પર 23 જૂને વિપક્ષી એકતાની બેઠક અને સભા યોજાવાની છે. CM હાઉસમાં થનારી બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અટકાવવા માટે વ્યૂહરચના તૈયાર થવાની છે.

પટનાના કાર્યક્રમના એક દિવસ પહેલાં BSP સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું હતું કે વિપક્ષની બેઠક દિલ મળે ના મળે હાથ મિલાવતા રહો-ની કહેવતને ચરિતાર્થ કરે છે. આ બેઠક પહેલાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે શરત મૂકી હતી કે કોંગ્રેસને UPથી દૂર રાખવામાં આવે.આ નિવેદનોથી બંને પક્ષોમાં કોઈ ગઠબંધનથી દૂર રહેવાના સંકેત તરીકે જોવામાં આવે છે. આવામાં સવાલ એ ઠે કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કોઈ ગઠબંધન વગર વિપક્ષ ભાજપને કેવી રીતે અટકાવી શકે?

વળી, પટનામાં કેટલાંક પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં છે, જેમાં અરવિંદ કેજરીવાલને PMપદના દાવેદાર જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીનું નામ લખ્યું છે, પરંતુ પાર્ટીનું કહેવું છે કે એ કામ તેમના વિરોધીઓનું છે. આપ કાર્યકર્તાઓનું નથી.

સાત રાજ્યોમાં ભાજપની વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનની સંભાવના નાને બરાબર છે. આ રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. 2019માં આ રાજ્યોની કુલ 303 સીટોમાંથી ભાજપે 106 સીટો જીતી હતી. વળી, આ રાજ્યોમાં કોંગ્રેસ સિવાય કોઈ પણ અન્ય પાર્ટીનો વોટ શેર પાંચ ટકાથી વધુ નથી રહ્યો. વળી, વિપક્ષી એકતા પર કોંગ્રેસનું વલણ પણ હજી સુધી સ્પષ્ટ  નથી.

TMCનાં મમતા બેનરજીએ કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસનું CPI (M)ની આગેવાનીમાં લેફ્ટ પાર્ટીઓનું ગઠબંધન છે. આવામાં TMC કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. આમ વિપક્ષમાં બાર ભાયાને તેર ચોકા છે.