વિજયવાડામાં કામચલાઉ ‘કોવિડ કેર સેન્ટર’માં આગ લાગી; 7ના મરણ

વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરમાં આજે વહેલી સવારે એક હોટેલમાં ભીષણ આગ લાગી હતી. તે હોટેલનો ઉપયોગ કામચલાઉ ‘કોરોના કેર સેન્ટર’ તરીકે કરવામાં આવી રહ્યો હતો. દુર્ઘટનામાં સાત જણના મરણ થયા છે અને 30 જણને બચાવી લેવામાં આવ્યા છે.

આ ખાનગી હોટેલનું નામ સુવર્ણ પેલેસ છે. કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે આ હોટેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે.

આગ લાગી ત્યારે હોસ્પિટલ-હોટેલમાં 40 જેટલા લોકો હતા એવું કહેવાય છે.