ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે, ખાસ કરીને પહેલગામ આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને અફવાઓનો દોર શરૂ થયો છે. આવા સંવેદનશીલ સમયમાં, ભારતના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને સચોટ માહિતી મળે તે માટે પોતાની સત્તાવાર WhatsApp ચેનલ શરૂ કરી છે. સંરક્ષણ મંત્રાલયના પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટે આ ચેનલની શરૂઆત 7 નવેમ્બર, 2023ના રોજ કરી હતી, 10 મે, 2025ના રોજ, @SpokespersonMoDએ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લોકોને આ ચેનલ ફોલો કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.
In these sensitive times, a lot of misinformation and fake news is being spread on #WhatsApp. Be cautious and follow our WhatsApp Channel for all authentic information related to Ministry of Defence.
Tap on the link given below and follow now!https://t.co/4zu1peMGPj pic.twitter.com/CZVUsrHkz5
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 10, 2025
આ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ સંવેદનશીલ સમયમાં WhatsApp પર ઘણી ખોટી માહિતી અને ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યાં છે. સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી સચોટ માહિતી માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો.” આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો પણ આપવામાં આવી છે, જેનાથી લોકો સચોટ અને સાચી માહીત મેળવી શકે છે. X પર @SpokespersonMoD, Instagram પર @defenceminindia, Facebook પર @DefenceMinIndia, YouTube પર @DefenceMinIndia, LinkedIn પર @defenceminindia, અને Threads પર @defenceminindia
