પાંચમી માર્ચ સાથે ગાંધીજીનો શો સંબંધ…જાણો

નવી દિલ્હીઃ પાંચમી માર્ચે ગાંધીજીને ખાસ સંબંધ છે. પ માર્ચ, 1931એ લંડનની દ્વિતીય ગોળમેજી સંમેલન પહેલાં મહાત્મા ગાંધીજી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિનની વચ્ચે એક રાજનૈતિક સમજૂતી સધાઈ હતી. જેને ગાંધી-ઇરવિન સમજૂતી કહેવામાં આવે છે. બ્રિટિશ સરકાર પ્રથમ ગોળમેજી સંમેલનથી સમજી ગઈ હતી કે કોંગ્રેસના સહયોગ વગર કોઈ પણ નિર્ણય કરવો મુશ્કેલ છે. વાઇસરોય લોર્ડ ઇરવિન ગાંધીની વચ્ચે 5 માર્ચ, 1931એ ગાંધી-ઇરવિન સમજૂતી થઈ હતી આ સમજૂતી હેઠળ ઇરવિને સ્વીકાર કર્યો હતો…

1 હિંસાના આરોપીઓને છોડીને બાકી બધા રજકીય કેદીઓને છોડી મૂકવામાં આવશે.

2 ભારતીય દારૂ અને વિદેશી કપડાંની દુકાનોની સામે ધરણાં કરી શકાશે.

3આંદોલન દરમ્યાન રાજીનામું આપનારાઓને તેમના પદોએ પુનઃ નિયુક્તિ કરાશે

5આંદોલન દરમ્યાન જપ્ત કરવામાં આવેલી સંપત્તિ પાછી આપવામાં આવશે

કોંગ્રેસ દ્વારા ગાંધીજીએ નીચેની શરતો સ્વીકારી હતી…

1 સવિનય અવજ્ઞા આંદોલન સ્થગિત કરવામાં આવશે.

2 કોંગ્રેસ દ્વિતીય ગોળમેજી સંમેલનમાં ભાગ લેશે.

3 કોંગ્રેસ બ્રિટિશ સામાનનો બહિષ્કાર નહીં કરે

4 ગાંધીજી પોલીસના અત્યાચારની તપાસની માગ છોડી દે.
આમ આ સમજૂતી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કેમ કે બ્રિટિશ સરકારે ભારતીયો સાથે સમાનતાના સ્તરે સમજૂતી કરી હતી.