ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (84)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું આજે નિધન થયું છે. એ 84 વર્ષના હતા. એમના નિધનના સમાચારની જાહેરાત એમના પુત્ર અભિજીત મુખરજીએ કરી છે.  મુખરજી છેલ્લા અનેક દિવસોથી ફેફસાંના ચેપની બીમારીથી ગ્રસ્ત હતા. એમને કોરોના પણ થયો હતો. એ વેન્ટીલેટર પર હતા.

પ્રણવ મુખરજી ભારતના 13મા રાષ્ટ્રપતિ હતા. એમને કોરોનાનો ચેપ લાગુ પડ્યા બાદ એમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુખરજી 2012ની 15 જૂને રાષ્ટ્રપતિ બન્યા હતા.

એ અત્યંત પ્રભાવશાળી નેતા હતા. એમણે કોંગ્રેસ પાર્ટી સહિત દેશની સમસ્યાઓને ઉકેલવામાં પોતાનું મોટું યોગદાન આપ્યું હતું.

પ્રણવ મુખરજીને કોંગ્રેસના સંકટમોચક તરીકે ઓળખવામાં આવતા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને એમના પૂરોગામી પ્રણવ મુખરજીના નિધન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શબ્દાંજલિ અર્પણ કરી છે.