તેલંગાણના CM ચંદ્રશેખર રાવની પુત્રીને EDના સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને દિલ્હીની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે સમન્સ પાઠવ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટી એમએલસી,  44 વર્ષીય કવિતાને રાષ્ટ્રીય રાજધાનીમાં એજન્સીની સમક્ષ નવ માર્ચે હાજર થવા માટે ફરમાન કર્યું છે. આ મામલામાં EDએ કવિતાના નજીકના અરુણ રામચંદ્રન પિલ્લઈ અને CA બુચી બાબુની ધરપકડ કરી છે.

EDએ પિલ્લઇની ધરપકડ કરતાં એ દાવો કર્યો હતો કે હૈદરાબાદના બિઝનેસમેન સાઉથ ગ્રુપથી રૂ.100 કરોડની લાંચ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ને પહોંચાડવા વાસ્તે સાઠગાંઠ કરી હતી. પિલ્લઈને EDએ સોમવારે રાતે ધરપકડ કરી હતી અને મંગળવારે એક કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પિલ્લઈને 13 માર્ચ સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધો હતો. ED દ્વારા આ મામલમાં 11મી ધરપકડ કરી છે.

EDએ દાવો કર્યો હતો કે તે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાન પરિષદ કે. કવિતા અને અન્યથી જોડાયેલી લિકર કાર્ટલ સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. કવિતાથી CBIએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂછપરછ કરી હતી. આ સમન્સ દિલ્હીના ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની કેન્દ્રીય તપાસ બ્યુરોએ આ મામલે ધરપકડ કરી છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ આબકારી નીતિ મામલે ધરપકડ કરી છે.