ટુવ્હિલર વાહનો માટે ડિસઇન્ફેક્ટન્ટ ટનલ!!

ચેન્નાઈ: તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં કોરોના વાઈરસના વધતા જતાં સંક્રમણને ધ્યાને રાખી ટુવ્હિલર વાહનો માટે ડિસઈનફેક્ટેન્ટ ટનલ (Disinfectant tunnel) બનાવવામાં આવી છે. અહીં મદુરવાયલ ખાતે આ ટનલ લગાવવામાં આવી છે, જેથી કોવિડ-19ના સંક્રમણને અટકાવી શકાય. આ ટનલમાં એન્ટ્રી લેનાર પર સેનેટાઈઝરનો છંટાવ પણ કરવામાં આવે છે જેથી બેકટેરીયા દૂર થાય છે.

મહત્નવનું છે કે, દેશના લગભઘ 22થી વધુ રાજ્યો કોરોના વાઈરસની ઝપેટમાં છે. આ વાઈરસને ફેલાતો રોકવા માટે સાવધાની રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દેશમાં આ વાઈરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકજાગૃતિ ફેલાવામાં આવી રહી છે.

સૌથી મહત્વની વાત કે આ બિમારીની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી. વિશ્વના દરેક દેશ તેમના સ્તરે આ બિમારી સામે લડી રહી છે. સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આ વાઈરસની ઝપેટમાં આવી ગયો છે. તો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે.