દિલ્હીમાંઃ 106ની ધરપકડ, 18 સામે FIR, મૃત્યુઆંક વધીને 27

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદાની વિરુદ્ધ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં કોમવાદી તોફાનો ફાટી નીકળ્યાં છે, જેમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 27 થઈ છે. દિલ્હી પોલીસે CAA વિરોધી હિંસા મામલે 106 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોટા અધિકારીઓ હાજર છે. ડ્રોન કેમેરાથી નિગરાની કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 18 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાન કેજરીવાલે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં જોતાં શહેરને આર્મી બોલાવવાની વાત કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની સ્થિતિ પર પોલીસ અંકુશમાં લઈ શકે એમ નથી, જેથી સેનાને હવાલે દિલ્હી સોંપી દેવું જોઈએ. રાષ્ટ્રીય સુલાહકાર અજિત ડોભાલે પણ દિલ્હીના CAAવિરોધી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે મૌજપુર, ઘૌડા અને બ્રહ્મપુરી વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સાથે વાત કરી હતી.

દિલ્હી હિંસા બાબતે વડા પ્રધાન મોદીએ તેમનું મૌન ભંગ કરતાં શાંતિ અને ભાઇચારો રાખવાની અપીલ કરી હતી. જોકે આજે નવી હિંસા ભજનપુરા વિસ્તારમાં થઈ હતી, જ્યાં આગ ચાંપવાના, દુકાનો બાળી નાખવાની ઘટના બની હતી. આ ઉપરાંત પથ્થરમારાના બનાવ બન્યા હતા.