નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કે, કોર્ટ અને પોલીસ હોવા છતાં દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ. કોર્ટે કહ્યું કે આ સમય છે લોકોનો ભરોસો જાળવી રાખવાનો. લોકોના મનમાંથી ડટ દૂર કરવો જોઈએ અને લોકોએ ભરોસો આપવો પડશે કે તે સંપૂર્ણ સુરક્ષિત છે. કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું કે, હિંસામાં જે લોકોના મોત થયા છે તેમના અંતિમ સંસ્કાર માટે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે.
સાથે જ દિલ્હી હાઈકોર્ટે સૂચન કરતા કહ્યું કે, ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ પીડિત પરિવારોને મળવુ જોઈએ. કોર્ટે કહ્યું IB ઓફિસર પર થયેલા હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. કોર્ટે દિલ્હી સરકારને હેલ્પલાઈન શરુ કરવા અંગે પણ પૂછયું જેથી તાત્કાલિક ધોરણે લોકોની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. દિલ્હી સરકારે કોર્ટને ભરોસો આપતા કહ્યું કે તેમના તરફથી દરેક સંભવ પ્રયત્નો કરવામાં આવશે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, સરકાર અસ્થાઈ સેલ્ટર તૈયાર કરે જેથી પ્રભાવિત લોકોને ચોખ્ખુ પાણી, દવાઓ, અને ખાવાનું ઉપલબ્ધ કરાવી શકાઈ. પીડિતોને સુરક્ષિત માર્ગ મારફતે ખાનગી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ કોર્ટે ડીએલએસએ ને કહ્યું કે, હિંસામાં પીડિતોને વળતર આપવામાં મદદ કરે. સાથે જ દંગા પીડિત લોકોને સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક માટે મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. 1091 જેવા હેલ્પલાઈન નંબર દિલ્હી સરકારના છે, પણ સામાન્ય લોકો વચ્ચે તેની વધુ પબ્લિસિટી કરવાની જરૂર છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)