વકફ બિલ પર દેશને ગુમરાહ કરવાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ વકફ બિલ પર સૂચનો આપવાની સમયમર્યાદા ખતમ થઈ ચૂકી છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સૂચનોને લઈને મોટો દાવો કર્યો છે.  વકફ સંશોધન બિલ પર JPCના વરિષ્ઠ સભ્ય નિશિકાંત દુબેએ JPCના અધ્યક્ષ જગદમ્બિકા પાલને પત્ર લખ્યો છે.

દુબેએ પાલને પત્ર લખીને ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે JPCને મળેલા સવા કરોડ પત્રોની ભાષા એક જેવી છે, જેમાં વકફ સંશોધન બિલને તત્કાળ અસરથી રદ કરવાની માગ કરવાની વાત કરવામાં આવી છે. આ સૂચનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. એને આંતરરાષ્ટ્રીય સ્તરેથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને દેશની અંદર માહોલ ખરાબ કરવાની આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ પત્ર તેમણે રાષ્ટ્રીય અખંડતિતા પર જોખમ ગણાવ્યું હતું.

આની પાછળ આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક સંગઠન છે, જે દેશની વ્યવસ્થા બરબાદ કરવા ઇચ્છે છે. ભાગેડુ ઇસ્લામિક કટ્ટરપંથી જાકિર નાઇક અને અમારા દેશના યુવાઓની વચ્ચે ભ્રમ ફેલાવીને વકફ સંશોધન બિલ દ્વારા સરકારની વિરુદ્ધ કરવાની યોજના છે, એમ તેમણે કહ્યું હતું.

જાકિર નાઇક JPCને સબમિશનથી ભરવામાં તેના નેટવર્કની કોઈ પ્રકારે મિલીભગત છે એની તપાસ કરવામાં આવવી જોઈએ.આ દેશની સુરક્ષાના મુદ્દે તરીકે જોવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે વકફ સંશોધન બિલની વિરુદ્ધ ISI, ચીન અને જમાતે-એ-ઇસ્લામી બંગલાદેશ અને તાલિબાન જેવાં કટ્ટરપંથી સંગઠનો, વિદેશી અભિનેતાઓની સંડોવણી એક ગંભીર ચિંતાનો વિષય છે.