રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધથી કોંગ્રેસીઓ ખુશ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતની કોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલાં આ કેસ અમદાવાદ હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત નહોતી મળી. હવે જ્યારે રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ લાગ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોંગ્રેસ તરફથી ટ્વીટ

કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરતાં લખવામાં આવ્યું હતું કે એ નફરતની વિરુદ્ધ મહોબ્બતની જીત છે. સત્યમેવ જયતે- જયહિંદ. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ત્રણ ચીજવસ્તુઓ વધુ છૂપી ના રહી શકે…સૂર્ય, ચંદ્રમા અને સત્ય. સુપ્રીમ કોર્ટને ન્યાયપૂર્ણ માટે આભાર. સત્યમેવ જયતે.

કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે….

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે હવે તમે સંસદમાં દરેક જગ્યાએ સત્યમેવ જયતે જોશો. રાહુલ ગાંધી વિરુદ્ધ જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એ નિષ્ફળ રહ્યું છે. અમે સ્પીકરને પત્ર લખીશું અને ફોન પર તેમનાથી વાત કરીશું. આ રીતે કોંગ્રેસના અનેક નેતાઓએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.