બિહારઃ રાજ્યસભાની ચૂંટણીમાં RJD થી કોંગ્રેસ નારાજ

પટનાઃ બિહારમાં રાજ્યસભા માટે મહાગઠબંધનથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના જ બે ઉમેદવારો ઊભા થવાથી કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસ હવે RJD પર આરોપ લગાવી રહી છે. પક્ષ કહે છે કે એક સીટનું વચન આપ્યું હતું. બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં મહાગઠબંધનના મતભેદો સપાટી પર આવ્યા છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે જ્યારે તેજસ્વી અત્યારથી એક પણ વચન નથી નિભાવી રહ્યા તો તેમની પાસે ભવિષ્યમાં કેવી રીતે અપેક્ષા રાખી શકાય.

RJDએ વચન ના નિભાવ્યું

કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય પ્રેમચંદ મિશ્રાએ કહ્યું હતું કે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે તેમણે કોંગ્રેસનાં પ્રમુખ સાથે વાત કરીને પછી ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમની વાત કદાચ સાચી પણ હોય, કેમ કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ સીટો આપવાનું વચન આપ્યું હોય. જોકે તેજસ્વી યાદવે રાજ્યસભાની સીટ માટે કરવામાં આવેલા વાયદાને પણ જણાવવા જોઈએ. તેમણે કોંગ્રેસને એક બેઠક આપવાનું વચન આપ્યું હતું. તેમણે આ વચન નથી પાળ્યું તો વિધાનસભાની ચૂંટણીમાં આપેલું વચન કઈ રીતે પાળશે.?

RJD ઉમેદવારના નામાંકનમાં કોંગ્રેસની ગેરહાજરી

RJDએ રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી હતી. RJDના બંને ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું. મજાની વાત એ છે કે અમરેન્દ્ર ધારી સિંહના પ્રસ્તાવક સુધીનાને RJD જ કેટલાય વિધાનસભ્યો નહોતા ઓળખતા. બીજી બાજુ કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે વિધાનસભ્ય RJDના નામાંકનમાં નહોતા આવ્યા.

 

 

 

 

 

 

 

 

 

 

ટે