આઈપીએલ પર કોરોના સંકટઃ વિદેશી ખેલાડીઓ નહીં આવી શકે

નવી દિલ્હીઃ આઈપીએલના આયોજન પર કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. કોરોના વાયરસના કારણે ટૂર્નામેન્ટના આયોજનને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. 29 માર્ચથી શરુ થવા જઈ રહેલી આઈપીએલની શરુઆતની મેચોમાં વિદેશી પ્લેયર્સ જોડાઈ શકશે નહી.

પ્રાપ્ત વિગતો અનુસાર ટુર્નામેન્ટમાં આવનારા વિદેશી પ્લેયર્સના વિઝા પર 15 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે અને બાદમાં જ કોઈ વિદેશી લોકો ભારત આવવાના વિઝા મેળવી શકશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી પ્લેયર્સના ભાગ લેવા પર હજી કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ વર્ષે થનારી આઈપીએલ 29 માર્ચથી શરુ થઈ શકશે કે નહી તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

ભારત સરકારે કોરોના વાયરસના વધતા સંકટથી સતર્ક થઈને ભારતમાં આવનારા વિદેશી મહેમાનને 15 એપ્રીલ સુધી વિઝા ન આપવાનો નિર્ણય કર્યો છે. અત્યારે બીસીસીઆઈએ આ મામલે કંઈ કહ્યું નથી. તેમણે આ મામલે રાહ જોવાની અને આ પોલીસીને યોગ્ય રીતે જાણ્યા બાદ જ કંઈક કહેવાનો નિર્ણય કર્યો છે.

ભારત સરકાર દ્વારા વિદેશી મહેમાનોને આપેલા વિઝા પર 15 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે. આ મામલે બીસીસીઆઈ આવનારા કેટલાક દિવસો સુધી રાહ જોયા બાદ જ કોઈ નિર્ણય લેવાની વાત કહી છે. દેશમાં વધી રહેલા કોરોના વાયરસના મામલાને જોતા ભારતીય સરકારે આ કડક નિર્ણય લીધો છે.