કરદાતાઓને લાભ રૂ. 25,000 સુધીના ટેક્સના બાકીનાં લેણાં થશે માફ

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ રાહત નથી, પણ સરકાર કેટલીક જૂની ટેક્સ માગને પરત ખેંચશે. નાણાપ્રધાને કહ્યું હતું કે સરકાર નાણાં વર્ષ 2009-10 સુધીની રૂ. 25,000 સુધીની ટેક્સ ડિમાન્ડ અને 2014-15 સુધી રૂ. 10,000 સુધીની ટેક્સ ડિમાન્ડ વિથડ્રો કરશે. એનાથી એક કરોડ કરદાતાઓને લાભ થશે. જોકે સામાન્ય ચૂંટણી પહેલાં આ બજેટમાં એવું કશું નથી. ત્યાં સુધી કે આયાતી સામાનો માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

આ સાથે બજેટની અન્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે.

  • સરકાર ઇલેક્ટ્રિક વેહિકલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.
  • આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂ. 14 લાખ કરોડ રહેશે.
  • દેશમાં છેલ્લા 10 વર્ષોમાં વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો20
  • ટેક્સ પ્રોસેસિંગ સમયગાળો 93 દિવસથી ઘટીને 10 દિવસનો થયો
  • પ્રતિ મહિને સરેરાશ GST કલેક્શન રૂ. 1.66 લાખ કરોડ
  • GST ટેક્સપેયર્સની સંખ્યા બે ગણી થઈ
  • સરકારનો ફિસ્કલ ડેફિસિટ માટે 5.1 ટકા લક્ષ્ય
  • તેમણે GDP ગ્રોથ 5.1 ટકા રહેવાનો અંદાજ
  • છેલ્લા 10 વર્ષોમાં અર્થતંત્રમાં મોટો સુધારો
  • સૌનો, સૌનો વિકાસ સાથે આગળ વધ્યા
  • દેશને નવી દિશા, નવું લક્ષ્ય મળ્યું
  • સરકાર ઘરેલુ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ
  • એમાં કોર્પોરેટ ટુરિઝમ, રિલિજિયસ ટુરિઝમ અને બિઝનેસ ટુરિઝમ સામેલ
  • ત્રણ મુખ્ય આર્થિક રેલવે કોરિડોર લાગુ કરાશે
  • ઊર્જા, ખનિજ ને સિમેન્ટ કોરિડોર
  • પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર,
  • યાતાયાત ઘનત્વ કોરિડોર
  • 2030 સુધી ગેસિફિકેશન ક્ષમતા 100 MMT કરવામાં આવશે.
  • વંદે ભારતમાં 400 બોગીઓ અપગ્રેડ થશે.