કોરોનાના 8865 નવા કેસ, 197નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 8865 નવા કેસ સામે આવ્યા છે, જે  છેલ્લા 287 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 197 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,44,56,401 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,63,852 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,38,61,756 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,971 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,30,793એ પહોંચી છે, જે છેલ્લા 525 દિવસમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.27 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,07,617 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.68 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 112.97 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,12,97,84,045 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 59,75,469 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.