કોરોનાના 38,353 વધુ નવા કેસ, 497નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસો 40,000થી ઓછા આવ્યા છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 36 ટકાનો વધારો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,353 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 497 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,20,36,511 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,29,179 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,12,20,981 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,013 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,86,351એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.45 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,77,962 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 48.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના વાઇરસની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓની વચ્ચે સરકારે જણાવ્યું હતું કે અનેક રાજ્યોમાં કોરોના વાઇરસની નેશનલ R વેલ્યુ 1.0થી વધુ છે. જે ચિંતાનો વિષય છે.

દેશમાં 51.90 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 51,90,80,524 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 41,38,646 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.