કોરોનાના 18,930  નવા કેસ, 35નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,930 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 17 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 198.33થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,35,66,739 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,25,305 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,29,21,977 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,650 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,19,457એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.52 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયન્ટના એક નવા સબ વેરિયેન્ટ BA.2.75 માલૂમ પડ્યો છે. અમે એના પર નજર રાખી રહ્યા છીએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,38,005 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.53 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.86 ટકા છે.

દેશમાં 198.33 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,98,33,18,772 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,44,489 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.