કોરોનાના 16,432  નવા કેસઃ 252નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,432 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા છ મહિનામાં સૌથી ઓછા કેસ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 252 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,02,24,303 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,48,153 લોકોનાં મોત થયાં છે.  જોકે આ ખતરનાક બીમારીને 98,07,569 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,274 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,68,581એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.  

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.